AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો, રાજકોટથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો જન્માષ્ટમીનો તહેવાર, જુઓ Video

રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓના બેંક ખાતાઓની તપાસ હાથ ધરાઇ છે. આતંકીઓના સંપર્કમાં રહેલા લોકો તેમજ પરિવારજનોના બેંક ખાતાની પણ તપાસ કરાશે. વિદેશથી કોઇ ફન્ડીંગ થયું છે કે કેમ તે દિશામાં ATS દ્વારા તપાસ કરાશે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:34 AM
Share

Rajkot : ગુજરાત ATSએ રાજકોટમાંથી (Rajkot) 2 દિવસ પહેલા ઝડપી પાડેલા આતંકીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. પરંતુ આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે.

આ પણ વાંચો Breaking News રાજકોટથી પકડાયેલા અલકાયદાના ત્રણેય આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

ATSની તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આતંકીઓએ રેલવે સ્ટેશનની રેકી પણ કરી હતી. આતંકીઓ તેમના મનસુબાને પાર પાડે તે પહેલા જ તેમને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા છે. હજુ અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે.

આ ઉપરાંત સોશિયલ મિડીયાના માધ્યમથી AK 47 જેવા હથિયારો ચલાવવાની પણ ટ્રેનિંગ લેતા હોવાનું સામે આવ્યું છે. 10થી 12 જેટલા શકમંદોની ATS પૂછપરછ કરી રહી છે જેમાં એક સાળા-બનેવી ATSની રડાર પર છે. વર્ષોથી બંગાળી કારીગર તરીકે કામ કરતા સાળા બનેવીએ લોકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ત્રણ આતંકીઓ સાથે ત્રણ કટ્ટરપંથીઓ તેમાં જોડાયાની આશંકા છે.

રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકીઓના બેંક ખાતાઓની તપાસ હાથ ધરાઇ છે. આતંકીઓના સંપર્કમાં રહેલા લોકો તેમજ પરિવારજનોના બેંક ખાતાની પણ તપાસ કરાશે. વિદેશથી કોઇ ફન્ડીંગ થયું છે કે કેમ તે દિશામાં ATS દ્વારા તપાસ કરાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">