Crime: ધોળા દિવસે વકીલની ચેમ્બરમાંથી યુવકની મળી લાશ, તપાસમાં લાગી દિલ્હી પોલીસ

પોલીસને માત્ર એવી શંકા છે કે નશાની હાલતમાં બિમારીથી પીડાતા મનોજે મૃત્યુ પહેલા લોહીની ઉલટી કરી હશે.

Crime: ધોળા દિવસે વકીલની ચેમ્બરમાંથી યુવકની મળી લાશ, તપાસમાં લાગી દિલ્હી પોલીસ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:26 PM

Crime: ગુરુવારે દિલ્હીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. લાશ 35 વર્ષીય યુવકની છે. મૃત્યુ પામનાર વ્યક્તિ ભારતીય બાર એસોસિએશનનો અસ્થાયી સભ્ય હોવાનું કહેવાય છે. પોલીસે લાશનો કબજો સંભાળી લીધો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં યુવકનું નશાના સેવનથી મોતનું કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે અંદરની વાત અને મોતનું સાચું કારણ યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

આ ઘટના ગુરુવારે સવારે ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તીસ હજારી કોર્ટ સંકુલમાં હાજર વકીલોને ચેમ્બર ખોલવાની જાણ થઈ. વેસ્ટ વિંગ સ્થિત વકીલની ચેમ્બરમાં લાશ પડી હતી. ઉત્તર દિલ્હી જિલ્લા ડીસીપીના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ મનોજ (35) તરીકે થઈ છે, જે બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાના અસ્થાયી સભ્ય હતા. આ અંગેની માહિતી તીસ હજારી બાર એસોસિએશનના હોદ્દેદારો અને મૃતકના પરિચિતોને આપવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે તેમના સ્તરેથી મનોજ વિશે માહિતી પણ મેળવી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો

ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર “પંચનામા બાદ મૃતદેહનો કબજો લેવામાં આવ્યો છે. તપાસ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હજુ સુધી મૃતકના શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

જો આંતરિક ઈજા હશે તો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ તેની પુષ્ટિ થશે. તેથી, મૃત્યુના કારણ વિશે હાલ કંઈપણ નક્કર કહેવું મુશ્કેલ છે. સબજી મંડી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા યુવક મનોજને દારૂ પીવાની લત હતી. તેઓ લાંબા સમયથી ટીબી જેવા ગંભીર રોગના દર્દી પણ હતા.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓએ જ્યાંથી મૃતદેહ મળ્યો હતો, તેની પાસે એક ડસ્ટબિન પણ જોયો હતો. આ ડસ્ટબીન પાસે મનોજની લાશ શંકાસ્પદ હાલતમાં પડેલી મળી આવી હતી. ડસ્ટબીનમાં લોહી મળી આવ્યું છે. પોલીસને માત્ર એવી શંકા છે કે નશાની હાલતમાં બિમારીથી પીડાતા મનોજે મૃત્યુ પહેલા લોહીની ઉલટી કરી હશે.

તે ઉલ્ટી કરવા ડસ્ટબીનમાં ગયો હતો. પરંતુ અગમ્ય કારણોસર તે પોતાની જાતને સંભાળી શક્યો ન હતો. તાત્કાલિક કોઈ મદદ અને સારવાર ન મળવાને કારણે યુવકનું મોત થયું હોવાનો પોલીસ ઈન્કાર કરી રહી નથી.

બિમાર યુવાનનું વકીલની ચેમ્બરમાં શું કામ?

પોલીસના જણાવ્યા અનુસાર વકીલની ચેમ્બરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામનાર યુવક બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાનો હંગામી સભ્ય હતો. તે ઘણીવાર રાત્રે વકીલની ચેમ્બરમાં સુઈ જતો હતો. સવારે વકીલો ચેમ્બરમાં પહોંચે ત્યાં સુધીમાં તે ચેમ્બર સાફ કરી લેતો હતો. તે પછી તીસ હજારી કોર્ટમાં જ નાના-મોટું કામ કરતો હતો. આ ઘટના બાદથી તીસ હજારી કોર્ટમાં શોકમય મૌન છે.

આ પણ વાંચો: એર હોસ્ટસે એર બ્રીજ પર કર્યો ડાન્સ! વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ પણ વાંચો: ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાએ નવાબ મલિકના આક્ષેપો નકાર્યા, કહ્યું ડ્રગ્સ આરોપી સાથે કોઇ સબંધ નથી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">