AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પહેલા પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, RDX સહિત હથિયારો પોલીસે કર્યા ઝબ્બે, જાણો પાકિસ્તાન સાથેનું કનેક્શન

પંજાબમાં પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસે બે 40 mm કંપેટિબલ ગ્રેનેડ સાથે 40 mm અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર સહિત અનેક સાધનો રિકવર કર્યા

ચૂંટણી પહેલા પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, RDX સહિત હથિયારો પોલીસે કર્યા ઝબ્બે, જાણો પાકિસ્તાન સાથેનું  કનેક્શન
Conspiracy to shake Punjab before elections fails
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:27 PM
Share

ગણતંત્ર દિવસ (Republic Day) પહેલા પંજાબ (Punjab) માં વિસ્ફોટકો (explosives) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમયસર મોટા આતંકી હુમલા (Terrorist attack) ને નિષ્ફળ બનાવ્યો છે. પંજાબ પોલીસના આઈજીપી મોહનીશ ચાવલા (IGP Mohnish Chawla, Punjab Police) એ જણાવ્યું હતું કે પોલીસે ગુરદાસપુર જિલ્લામાંથી 40 એમએમ અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર (UBGL), 3.79 કિગ્રા RDX, 9 ઈલેક્ટ્રિક ડિટોનેટર અને IEED ટાઈમર ઉપકરણો સાથે બે 40 mm સુસંગત ગ્રેનેડ રિકવર કર્યા છે. જેના 2 સેટ રિકવર કરવામાં આવ્યા છે. આ રીતે ચૂંટણી (Punjab Election 2022) પહેલા પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતું.

UBGL એ 150 મીટરની અસરકારક રેન્જ ધરાવતું શોર્ટ રેન્જ ગ્રેનેડ લોન્ચિંગ એરિયા વેપન છે અને તે VVIP સુરક્ષા માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. પંજાબ એક્સપ્રેસ અનુસાર, ગુરદાસપુરના ગાઝીકોટ ગામના રહેવાસી મલકિત સિંહ પાસેથી હથિયાર અને બોમ્બ મળી આવ્યા છે, જેને ગુરૂદાસપુર પોલીસે ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે ધરપકડ કરી હતી. પોલીસે આતંકવાદી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને તેની પાછળ મલકિત સિંહ સહિતના સહ કાવતરાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

IGP મોહનીશ ચાવલાએ કહ્યું કે ગુરદાસપુર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મલકીત સિંહના ખુલાસા બાદ આ રિકવરી કરવામાં આવી છે. પોલીસે સહ-ષડયંત્રકારો સુખપ્રીત સિંહ, થરનજોત સિંહ, સુખમીતપાલ સિંહ, ભાગેડુ ગેંગસ્ટર અર્શદીપ સિંહ અને પાકિસ્તાન સ્થિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા લખબીર એસ રોડે વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

આ પણ વાંચો: Punjab election 2022: પંજાબમાં કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ છે? આ 4 વિકલ્પોને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની નજીકના ટ્વિટર પર પોલ કરાવી રહ્યા છે

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">