અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી પ્રથમ ધરપકડ, એજન્સીએ ગયા મહિને આરોપીના ઠેકાણાં પર પાડ્યા હતા દરોડા

મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી હટાવ્યા પછી, પરમબીર સિંહે આરોપ મૂક્યો હતો કે દેશમુખે (હવે બરતરફ કરાયેલ) પોલીસ અધિકારી વાજેને શહેરના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાથી વધુ એકઠા કરવાનું કહ્યું હતું.

અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી પ્રથમ ધરપકડ, એજન્સીએ ગયા મહિને આરોપીના ઠેકાણાં પર પાડ્યા હતા દરોડા
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:42 AM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રવિવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સંતોષ જગતાપ નામના વ્યક્તિની અટકાયત કરી હતી, જે આ હાઇ-પ્રોફાઇલ કેસમાં પ્રથમ ધરપકડ છે. એક અધિકારીએ જણાવ્યું કે એજન્સીએ કથિત વચેટિયા જગતાપની સવારે મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરી હતી. તેણે કહ્યું કે ગયા મહિને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ પણ આરોપી તપાસથી બચી રહ્યો હતો. તેમણે કહ્યું કે સીબીઆઈએ ઓગસ્ટમાં કથિત વચેટિયા જગતાપના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને 9 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા.

એજન્સીએ દેશમુખ અને અન્ય અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ “ગેરવાજબી અને અપ્રમાણિક કૃત્યો કરીને અયોગ્ય લાભ મેળવવાનો પ્રયાસ” કરવા બદલ કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી હટાવ્યા પછી, પરમબીર સિંહે આરોપ મૂક્યો હતો કે દેશમુખે (હવે બરતરફ કરાયેલ) પોલીસ અધિકારી વાજેને શહેરના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવાનું કહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સીબીઆઈની એફઆઈઆરમાં આ આરોપ લગાવાયો છે.

સીબીઆઈ એફઆઈઆરમાં આરોપ છે કે, પ્રારંભિક તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે આ કેસમાં કોગ્નિઝેબલ ગુનો કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓએ તેમની જાહેર ફરજના અયોગ્ય અને અપ્રમાણિક પ્રદર્શન દ્વારા પ્રતિબદ્ધ અનુચિત લાભ મેળવવાનો પ્રયાસ કર્યો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ (CBI) ની નિયમાવલી મુજબ, પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવે છે કારણ કે આ જાણી શકાય કે આરોપોમાં સંપૂર્ણ તપાસ અને નિયમિત કેસ સાથે આગળ વધવા માટે પ્રાથમિક દૃષ્ટિએ પૂરતી સામગ્રી છે કે કેનહી

તાજેતરમાં પુર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અંગે પણ કોંગ્રેસના નેતાએ કર્યો ચોકાવનારો દાવો

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ રિકવરી અને અન્ય ઘણા કેસમાં ફસાઈ ગયા હતા. આ પછી તેમણે તપાસ અને પૂછપરછમાં આવવાનું બંધ કરી દીધું. વારંવારના સમન્સ પાઠવવા છતાં તે પૂછપરછ અને તપાસ માટે હાજર થયા ન હતા. જેના કારણે પરમબીર સિંહ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવા સમયે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. સંજય નિરુપમે દાવો કર્યો છે કે પરમબીર સિંહ બેલ્જિયમમાં છે.

આ પણ વાંચો :  Sameer Wankhede: સર, દરરોજ અમારું અપમાન થાય છે, અમને ધમકાવવામાં આવે છે, સમીર વાનખેડેએ SC કમિશનના ઉપાધ્યક્ષને કરી ફરિયાદ

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">