Bhavnagar: બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યામાં આરોપી યુવતી સહિત બે શખ્સોની કરી ધરપકડ

|

Aug 19, 2021 | 7:40 PM

ભાવનગર શહેરના ક.પરા ટેકરી ચોક ફાયર સ્ટેશન પાસે એક યુવકની બે દિવસ પેહલા હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી.

Bhavnagar: બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યામાં આરોપી યુવતી સહિત બે શખ્સોની કરી ધરપકડ
Bhavnagar: Police have arrested the accused in the murder that took place two days ago

Follow us on

Bhavnagar: શહેરના ક.પરા ટેકરી ચોક ફાયર સ્ટેશન પાસે એક યુવકની બે દિવસ પેહલા હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસ દ્વારા હત્યાની ઘટનાની ગંભીરતાને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. ગણતરીના સમયમાં ભાવનગર પોલીસે હત્યાના આરોપી યુવતી સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ભાવનગર શહેરના ક.પરા ટેકરી ચોક પાસે બે દિવસ પહેલા અવાવરૂ જગ્યામાં યુવાનની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા મામલે પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે. બનાવની હકિકત મુજબ રોશની બેનના પતિ ગોપાલ ઉર્ફે ડોંગર રાઠોડની અગાવ હત્યા થયેલ હતી. રોશની બેનના પતિ ગોપાલ ઉર્ફે ડોંગર સાથે સંજય ઉર્ફે કચોરી અવાર-નવાર ઝઘડા કરતો હતો.

ગોપાલના મોત બાદ પણ સંજય ઉર્ફે કચોરી યુવતી પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. જેના ત્રાસના કારણે કંટાળી ગયેલી યુવતીએ પ્લાન બનાવી પોતાના ભાડુઆત ગણેશ ઉર્ફે રવિ તેમજ યુવતીના સંબંધી રાકેશ ભીખાભાઈ રાઠોડને સંજયના ત્રાસ બાબતે વાત કરી હતી. જે બાદ આ લોકોએ મળીને તીન હત્યાનો સમગ્ર પ્લાન ઘડી નાખ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આર્થિક પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ સંજય કચોરીને ખોટા પ્રેમજાળમાં ફસાવાયો હતો. બાદમાં મોડી રાત્રીના સમયે અગાઉ નક્કી કરેલ પ્લાન મુજબ પોતાના ઘરે બોલાવી સેટીમાં સુવડાવી એકદમ મોઢે ડૂચો દઈ દીધો. ત્યાર બાદ ઘરમાં જ છુપાયેલ બન્ને ઈસમ ગણેશ મકવાણા અને રાકેશ રાઠોડ સહિત યુવતીએ સંજય ઉર્ફે કચોરી પર તિક્ષ્ણ હથિયાર વડે શરીરનાં ભાગે ઉપરા-ઉપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ મૃતકને ગોદડામાં વિટાળીને અવાવરું જગ્યામાં ફેંકી દીધો હતો.

હત્યાના બનાવને લઇ સી.ડિવિઝન ગંગાજળિયા પોલીસ અને એલ.સી.બીની ટીમ દ્વારા હત્યા અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે યુવતી સહિત બંને ઇસમોને હત્યાના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ બાદ પોલીસે હત્યાના ગુનામાં આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વનું છે કે, આ પ્રકારે હત્યાના બનાવની પોલીસ દ્વારા સમયસર અને સઘન તપાસ હાથ ધરાતા આરોપીઓ સુધી સરળતાથી પહોંચી શકાયું હતું.

આ પણ વાંચો: MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો

Next Article