ઉત્તરાખંડના દેહરાદૂનના સુદા સનૌલીના જંગલમાં પત્થરો નીચે દટાયેલી એક યુવતીની લાશ અંગે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે, યુવતીને અન્ય જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને તેના ભાઈઓને આ વાત પસંદ ન હતી. જે બાદ બંને ભાઈઓએ ભાભી સાથે મળીને બહેનની હત્યા કરી લાશને દાટી દીધી હતી. હાલ પોલીસ આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
આ મામલામાં દેહરાદૂનના એસપી સિટી સરિતા ડોબલનું કહેવું છે કે, યુવતીની હત્યા તેના બે સગા ભાઈઓ અને ભાભીએ કરી હતી અને હત્યા બાદ લાશને જંગલમાં પથ્થરો નીચે દાટી દીધી હતી અને નજીકના લોકોને કહ્યું હતું કે, રીના બિહાર ગઈ છે. જેથી કોઈ પૂછપરછ ન કરે. મળતી માહિતી મુજબ, આરોપીઓ બિહારના રહેવાસી છે.
તે જ સમયે, રાયપુરના એસએચઓ અમરજીત રાવતે જણાવ્યું કે હત્યાના આરોપી સુભાષ, ફૂલ કુમારી અને સંદીપ, ત્રણેય રાજીવનગર દૂન-અરવાલિયા મોતિહારી બિહારના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓનું કહેવું છે કે, રીના અન્ય જ્ઞાતિના છોકરા સાથે ફરતી હતી અને તેની સાથે તેનું અફેર હતું. તેથી તેને આ વાત ગમતી ન હતી. જેના કારણે તેઓએ મળીને તેની હત્યા કરી હતી.
મૃતદેહ મળતાં જ પોલીસે સ્થળ પર તેની ઓળખ ન થતાં તેનો ફોટો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જે બાદ તેના જીજા મુન્તુન ભગતે તેની લાશ ઓળખી લીધી હતી. વાસ્તવમાં ભાઈઓએ કહ્યું કે, રીના ઓક્ટોબરમાં બિહાર ગઈ છે. જીજા સુભાષે જણાવ્યું કે, તેમના ઘરના લોકોએ કહ્યું કે, રીના 6 નવેમ્બરે સંદીપ સાથે બિહાર ગઈ હતી. પરંતુ સોશિયલ મીડિયા પર ફોટો જોયા બાદ તેણે બિહારમાં સાસરિયાઓનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે, સંદીપ એકલો જ ગયો હતો અને તે પછી તેના પર હત્યાની આશંકા હતી અને આ માટે તેણે રાયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીનો મૃતદેહ 13 ડિસેમ્બરે મળ્યો હતો અને 6 નવેમ્બરે આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે આરોપી પાસેથી યુવતીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આ કેસમાં રીનાના જીજાએ 20 ડિસેમ્બરે ત્રણેય વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ
આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ