AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atiq Ashraf Murder : અતિક અહેમદ અને અશરફની હત્યા પહેલાંની 10 મિનિટમાં શું થયું? પછી એક જ મિનિટમાં…..

Atiq-Ashraf Murder : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ સાંસદ અતિક અહેમદ, તેમના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.

Atiq Ashraf Murder : અતિક અહેમદ અને અશરફની હત્યા પહેલાંની 10 મિનિટમાં શું થયું? પછી એક જ મિનિટમાં.....
Atiq Ashraf Murder
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 12:49 PM
Share

પ્રયાગરાજના પૂર્વ સાંસદ અને ખૂંખાર માફિયા અતિક અહેમદ અને માફિયા ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે પ્રયાગરાજની મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ અજાણ્યા હુમલાખોરોએ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને ગોળી મારી હતી જ્યારે પ્રયાગરાજ પોલીસ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી. પ્રયાગરાજ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અહેમદના પુત્ર અસદ અને તેના સહયોગી ગુલામને બે દિવસ પહેલા જ ગુરુવારે ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Atiq Ahmed Murder : જુઓ આ એ જ હત્યારાઓ છે, જેણે અતીક-અશરફની કરી પોઈન્ટ બ્લેંક હત્યા

પ્રયાગરાજ પોલીસ શનિવારે મોડી રાત્રે અતીક અહેમદ અને અશરફને મેડિકલ તપાસ માટે મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસ ફોર્સ અતીક અહેમદ અને અશરફ સાથે હાજર હતો. પોલીસ સુરક્ષા વચ્ચે મીડિયાકર્મીઓની એક ટીમ પણ અતિક અને અશરફ સાથે ચાલી રહી હતી.

અતિક અને અશરફને રોકે છે મીડિયાના કેમેરા

આ દરમિયાન મીડિયા અતિક અહેમદ અને અશરફ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. મીડિયાના કેમેરા જોઈને અતિક અને અશરફ અટકી જાય છે અને વાત કરવાનો પ્રયાસ કરે છે. અતિકનો ભાઈ અશરફ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન સામેથી એક હુમલાખોરે અતિકના માથા પર પિસ્તોલ વડે ગોળી મારી હતી અને અતિક જમીન પર પડી જાય છે. આ પછી અશરફ કંઈ સમજી શક્યો, આ દરમિયાન હુમલાખોરોએ અશરફને પણ ગોળી મારી દીધી.

હુમલાખોરોએ લગભગ 18થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું

જ્યારે અતિક અને અશરફ જમીન પર પડ્યા હતા. આ પછી ત્રણ હુમલાખોરોએ અતિક અહેમદ અને અશરફ પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા પછી, હુમલાખોરો ધાર્મિક નારા લગાવતા આત્મસમર્પણ કરે છે. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. લગભગ એક મિનિટની આ હ્રદયદ્રાવક ઘટના દરમિયાન ઘટનાસ્થળ પર લગભગ 10 પોલીસકર્મીઓ હાજર છે. હુમલાની આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી, જે મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી.

હુમલાખોરો તેમના ગળામાં આઈડી કાર્ડ, ડમી કેમેરા અને માઈક્સ લઈને આવ્યા હતા

પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું, “અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કંઈપણ કહેવું જલદી હશે. ધરપકડ કરાયેલા લોકોની હજુ પૂછપરછ કરવાની બાકી છે. રમિત શર્માએ જણાવ્યું કે, અતિક અને અશરફને મેડિકલ માટે લાવવામાં આવી રહ્યા છે. ત્રણ લોકો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને અતિક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં અતિક અને અશરફ બંનેના મોત થયા હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે.

પોલીસે સ્થળ પરથી ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક વીડિયો કેમેરા અને એક ન્યૂઝ ચેનલનો લોગો જપ્ત કર્યો છે. ત્રણેય હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતાનું ઓળખ પત્ર પણ ગળામાં લટકાવી દીધું હતું.

યુપીના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ

પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ યુપીના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ સાંસદ અતિક અહેમદ, તેમના ભાઈ અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">