Ahmedabad: દહેજની માંગણીથી ત્રસ્ત મહિલાએ કરી આત્મહત્યા, ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરે છે પતિ

|

Aug 26, 2021 | 8:51 PM

ખાનગી ફાર્મા કંપનીના મેનેજરે દહેજની માંગણી કરતા પત્નીએ કંટાળી આત્મહત્યા કરી હતી. પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: દહેજની માંગણીથી ત્રસ્ત મહિલાએ કરી આત્મહત્યા, ખાનગી કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરે છે પતિ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દહેજ પ્રથાને રોકવા માટે દહેજ પ્રતિબંધક કાયદો ઘડવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયેલી પ્રથા જેમાં દહેજની માંગણી અનેક કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે. જેમાં વધું એક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી ફાર્મા કંપનીના મેનેજરે દહેજની માંગણી કરતા પત્નીએ કંટાળી આત્મહત્યા કરી દીધી હતી. સોલા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બિહારમાં રહેતી રુચિરાજએ વર્ષ 2006માં મૂળ બિહારના સુજીત કુમાર સિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષમાં જ પતિ સુજીત કુમાર સિંગ પત્ની ઋચીરાજ પાસે દહેજની માગણી કરવાનું શરૂ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જો કે શરુઆતમાં મારઝૂડ કરતાં પરણિત મહિલા પરિવારે સોના-ચાંદી દાગીના આપ્યા હતા.

બાદમાં જ પતિ સુજીતકુમારની બિહારથી અમદાવાદ ટ્રાન્સફર થતાં જ દહેજ માંગણી વધું કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. દહેજના ત્રાસથી કંટાળીને પરણિત મહિલા ઋચીરાજે 18 ઓગસ્ટના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખાનગી ફાર્મા કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરનાર સુંજીતકુમાર બે થી ત્રણ વખત દહેજ લીધુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં દહેજમાં અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ કરતા હોવાનું પરિવાર આક્ષેપ કર્યો છે. જેમાં 250 ગ્રામ જેટલું સોનુ આપ્યું હોવાનું સામે આવ્યુ છે.

પત્ની રુચિરાજએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી દહેજ ન મળ્યું હોવાનું કહી પતિ સુજીતકુમાર પત્નીને પરેશાન કરતો હોવાના આક્ષેપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમને 15 વર્ષના લગ્નગાળામાં સંતાનોમાં એક દીકરો અને એક દીકરી પણ છે. દહેજના ભૂખ્યા એવા શિક્ષિત યુવક સુંજીતકુમાર કારણે પત્નીએ જીવ ગુમાવ્યો છે. જેનાં કારણે પરણિત મહિલાના પરિવારે સોલા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

 

અમદાવાદ શહેરમાં લાખો રૂપિયાની છેતરપિંડીના 8 ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આરોપીની કારંજ પોલીસે ધરપકડ કરી લીધી છે. બોગસ વેપારી બનીને માત્ર દોઢ મહિનામાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર કરવામાં આવ્યું હતું. કારંજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઉભેલા ચાલબાજ ચીટરનું નામ સાજીદ અબ્દુલ સત્તાર ઘાંચી છે.

આ ચાલબાજ ચીટર અમદાવાદ ના અલગ અલગ કાપડના વેપારીઓનું લાખો રૂપિયાનું ચીટીંગ કરી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો. જોકે કારંજ પોલીસ ડીસ્ટાફ ટીમ બાતમી મળતા આરોપીને અમદાવાદમાંથી જ દબોચી લીધો છે. આરોપી સાજીદે છેલ્લા દોઢથી બે મહિનામાં અમદાવાદના અલગ-અલગ માર્કેટમાં જઈ 8 જેટલા વેપારીઓ પાસે ફોન પર માલ મંગાવી લાખો રૂપિયાનું ચીટીંગ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

આ પણ વાંચો: Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

 

Next Article