AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ચાઈનીઝ કંપનીઓ ઉપર રજીસ્ટ્રાર ઓફ કંપનીએ કસ્યો સંકજો, સ્થાનિક ડાયરેક્ટર બનાવી મની લોન્ડરિંગ કર્યાનું કૌભાંડ આવ્યું સામે

Ahmedabad: ચીન ફક્ત ભારતીય સરહદો જ નહીં હવે તો ભારતીય અર્થતંત્ર ઉપર પણ આક્રમણ કરી રહ્યું છે. ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારસો ચીન રચી રહ્યું છે.

Ahmedabad: ચાઈનીઝ કંપનીઓ ઉપર રજીસ્ટ્રાર ઓફ કંપનીએ કસ્યો સંકજો, સ્થાનિક ડાયરેક્ટર બનાવી મની લોન્ડરિંગ કર્યાનું કૌભાંડ આવ્યું સામે
Ahmedabad Money laundering scandal erupts
Mihir Soni
| Edited By: | Updated on: Jan 09, 2022 | 3:24 PM
Share

Ahmedabad: ચીન ફક્ત ભારતીય સરહદો જ નહીં હવે તો ભારતીય અર્થતંત્ર ઉપર પણ આક્રમણ કરી રહ્યું છે. ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારસો ચીન રચી રહ્યું છે. જેને લઈને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા શહેર નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભારતમાં કોઈપણ કંપની શરૂ કરવા માટે ભારત સરકારે બનાવેલા નિયમ મુજબ કંપનીના ડિરેકટર ભારતીય નાગરિક હોવા જરૂરી છે જેને કારણે 2 ચાઈનીઝ કંપનીઓએ અમદાવાદમાં 2 વર્ષ પહેલાં કંપની શરૂ કરી હતી. કંપની શરૂ કરતાં પહેલાં કંપનીના ડિરેકટર પદે ભારતીય નાગરિકની નિમણૂક કરી હતી જેને કારણે કંપનીનું રજિસ્ટ્રેશન શક્ય બન્યું હતું.

FCS મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ અને શુંગ્મા મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડનું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ કંપની દ્વારા ભારતીય ડિરેકટરની હકાલપટ્ટી કરી દીધી હતી અને ત્યારબાદ કંપનીના ડિરેકટર પદે ચાઈનીઝ નાગરિકની નિમણૂક કરી દેતા હતા. જેથી કંપનીઝ એક્ટનું ઉલ્લંઘન થતું હોવાનું રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને ધ્યાને આવતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સી.એનું એડ્રેસ આપી ઓનલાઇન રિજિસ્ટ્રેશનથી કંપનીનું સંચાલન ચાઈનીઝ ડાયરેકટરો મની લોન્ડરિંગ કરતા હોવાથી ફરિયાદ નોંધવામાં આવી.

FCS મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ અને શુંગ્મા મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા છેલ્લા 2 વર્ષથી ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં આવ્યું નથી. અમદાવાદમાં બનાવવામાં આવેલી આ બન્ને કંપનીઓએ આવકનો કોઈ સ્ત્રોત બતાવ્યો નથી અને આવકના સ્ત્રોત વગર પણ અસ્તિત્વ ધરાવે છે જેને કારણે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓને આ મામલે શંકા જતા ઘનિષ્ટ તપાસ કરતા અનેક ગેરરીતિઓ સામે આવી હતી. સાથે જ આ કંપનીઓ મારફતે શંકાસ્પદ નાણાકીય હેરફેર પણ થતી હોવાની શક્યતાઓ ROCના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

જેને કારણે આ બાબતે છેતરપીંડી અને કંપનીઝ એક્ટ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સેટેલાઈટના પ્રણવ સોનીના નામે વાસણાની કંપનીમાં ચાઈનીઝ ડાયરેક્ટરો હોવાનું સામે આવ્યું હતું. એમાં ભારતીય નામ આગળ કરી ખરું સંચાલન કરીને ચાઈનીઝ ડાયરેક્ટરો આવકવેરાની ચોરી અને મની લોન્ડરિંગ કરતા હોવાની 406,420 અને 120બી કંપનીઝ એક્ટ મુજબ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ગુજરાત સહિત દેશમાં આવી ચાઇનીઝ કંપનીઓ સામે ROCએ તપાસ અને ફરિયાદો શરૂ કરાઈ છે. જેમાં ચાર ચાઇનીઝ કંપનીઓ સામે ગુજરાત રજીસ્ટ્રાર ઓફ કંપનીની તપાસ શરૂ કરી છે. ત્યારે ભૂતકાળમાં આવી અનેક ચાઈનીઝ કંપનીઓ અને ચાઈનીઝ એપ્લિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બેન કરવામાં આવી છે જો કે, હજુ પણ ચાઈનીઝ ડ્રેગન સુધરવાનું નામ લેતું નથી.

ભારતીય નાગરિકોને ઊંચી કિંમત ચૂકવી તેમના દસ્તાવેજોના આધારે કંપનીનું રજિસ્ટ્રેશન કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ભારત સરકારને આર્થિક નુકસાન પહોચાડવામાં આવે છે જો કે હાલ તો આ બન્ને કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">