AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં, બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

AHMEDABAD CRIME NEWS : ચાંદખેડા પોલીસ સ્ટેશન વિવાદો સપડાયું છે.થોડા દિવસ પહેલા એક સિનિયર સીટીઝનને પોતાના ઘરેથી ઢસડી બહાર લાવનાર પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો હતો.

AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં,  બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
AHMEDABAD CRIME NEWS
Mihir Soni
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:55 PM
Share

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવતા મહિપાલસિંહ સગીરોને પી.સી.આર વાનમાં બેસાડી લઈ ગયા અને લાકડીઓ વડે ઢોર માર માર્યો.

AHMEDABAD : ચાંદખેડા પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો છે,સગીરોના ઝઘડામાં પોલીસ કર્મી વચ્ચે પડી બે સગીરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.ચાંદખેડા પોલીસે પોલીસકર્મી વિરુદ્ધ મારમારીનો ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસકર્મીને બચાવવા યોગ્ય ફરિયાદ લેવામાં આવી નથી.

ચાંદખેડાની એક સ્કૂલમાં સગીરો વચ્ચે મજાક મસ્તી થઈ હતી, જે વાતની એક સગીરે તેના કૌટુંબિક મામાને જાણ કરી હતી.મજાક મસ્તી કરનારા સગીરોને સબક શીખવાડવા પોલીસકર્મી મહિપાલસિંહે બે સગીરોને ઘરની બહાર બોલાવ્યા હતા. જે બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવતા મહિપાલસિંહ સગીરોને પી.સી.આર વાનમાં બેસાડી લઈ ગયા જ્યાં લાકડીઓ વડે ઢોર માર માર્યો.

સગીરોનો આક્ષેપ છે કે પોલીકર્મી મહિપાલસિંહે બીભત્સ ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જે બાદ ચાંદખેડા પોલીસ દ્વારા પોલીસકર્મી મહિપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.હાલ ફરિયાદી આક્ષેપ કર્યા છે કે પોલીસ કર્મી મહિપાલસિંહને બચાવવા યોગ્ય ફરિયાદ લેવામાં આવી નથી.

સગીર વિદ્યાર્થીઓને મારવાના કેસમા પોલીસ કર્મચારી મહિપાલસિંહને પોલીસ બચાવી રહી હોવાના પરિવારના આક્ષેપો છે. બંને સગીરના પરિવારો પોલીસ કર્મચારીને સજા થાય તેવી માંગ કરી રહયા છે. જયારે સગીર બાળકો પણ પોલીસના આ હિંસક ચહેરાથી ભયભીત છે.બાળકોના ઝઘડામાં વિવાદ બનનાર પોલીસ કર્મચારી મહિપાલસિંહ ફરાર થઈ જતા ચાંદખેડા પોલીસે મારામારીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિવાદો સપડાયું છે.થોડા દિવસ પહેલા એક સિનિયર સીટીઝનને પોતાના ઘરેથી ઢસડી બહાર લાવનાર પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો હતો. હવે તમામ હદો વટાવી સગીરોને બેહરહેમી પૂર્વક માર માર્યો છે.ત્યારે હવે જોવું રહ્યું કે વિવાદિત ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મહિપાલસિંહને છાવરી લઈ બચાવી લેશે કે સગીરોના પરિવાજનો ન્યાય અપાવશે.

આ પણ વાંચો : Ahmedabad : એક્સિડેન્ટના બહાને ખેલાતો હતો નાણાં પડાવવાનો ખેલ, આ રીતે થયો પર્દાફાશ

આ પણ વાંચો : કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">