Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ

|

May 06, 2021 | 7:56 PM

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે.

Crime: મુંબઈમાં 21 કરોડ રૂપિયાનું 7 કિલો યુરેનિયમ જપ્ત, બે વ્યક્તિઓની ધરપકડ

Follow us on

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) મુંબઈ શહેરના કુર્લા અને માનખુર્દ વિસ્તારમાંથી 7.1 કિલો યુરેનિયમના જથ્થાને જપ્ત કર્યો છે. આ યુરેનિયમની કિંમત 21 કરોડ રૂપિયા છે. જથ્થાની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એટીએસના નાગપડા એકમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જીગર પંડ્યા (27) અને અબુ તાહિર (31)ની ધરપકડ કરવામાં આવી હતી.

 

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જપ્ત કરેલા યુરેનિયમનું નિરીક્ષણ ટ્રોમ્બેમાં બીએઆરસી ખાતે કરવામાં આવ્યું હતું, જે માનવ જીવન માટે ખૂબ જ જોખમી હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલ બંને વ્યક્તિઓએ કેટલાક સમય પહેલા એર ઈન્ડિયાનું વિમાન ભંગારમાં ખરીદ્યું હતું. જેમાંથી તેઓને રેડિયોએક્ટિવ મટીરીયલ મળ્યું હતું. આ રેડિયો એક્ટિવ મટીરીયલને તેઓએ લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તેઓ આ પદાર્થ વેચવાની ફિરાકમાં હતા.

 

ફેબ્રુઆરી મહિનામાં આ સંદર્ભે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને માહિતી મળી હતી અને તેમણે પહેલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમણે બીજા આરોપીની પણ ધરપકડ કરી. આ યુરેનિયમ એક ગોદામમાં રાખવામાં આવ્યું હતું. આ પદાર્થને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. એટીએસએ આ સંદર્ભે ઊર્જા અધિનિયમ (1962) હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Case file on 400 priests : એક સાથે 400 પાદરીઓ સામે ફોજદારી ગુનો નોંધાયો, રીટ્રીટ પ્રોગ્રામમાં કોવિડ-19 પ્રોટોકોલનો કર્યો ભંગ
Next Article