એક તરફ લૉકડાઉનના કારણે ગરીબોને અનાજ મેળવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે પણ કેટલાક લોકો કાળાબજારી કરવામાં પાછા નથી પડતા. સંકટના સમયે પણ કેટલાક લોકોને માત્ર રૂપિયા જ દેખાય છે. ત્યારે આવા કાળા કારોબારનો નડિયાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારે ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. તેવા સમયે નડિયાદમાં એક શખ્સ સસ્તા અનાજના જથ્થા સાથે પકડાયો હતો. તેને સાથે રાખીને વધુ તપાસ કરવામાં આવતા તે નડિયાદની એક મસ્જિદ નજીક આવેલા ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પડ્યો હતો.
આ કાળા બજારીઓ સસ્તા અનાજનો જથ્થો એકત્ર કરીને તેને ખાનગી પેકેટમાં પેક કરતા હતા અને ત્યારબાદ તેનું ખાનગી રાહે વેચાણ કરતા હતા. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના: PM Cares Fundમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ રૂપિયા સાથે આ મહત્વનું કામ પણ કરશે
Published On - 7:11 am, Tue, 31 March 20