2002 ગોધરા કાંડ: 17 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા, 8 આરોપી હજી પણ ફરાર

|

Mar 22, 2019 | 6:33 AM

2002માં થયેલા ગોધરા કાંડમાં આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ ચાલતા કેસમાં આજે તેઓ દોષી જાહેર થયા હતા. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. અગાઉ 31 વ્યક્તિઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી. 2002માં સર્જાયેલા ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને સળગાવી દેવાની ઘટનામાં કોર્ટે આરોપી યાકુબ પાતળીયાને […]

2002 ગોધરા કાંડ: 17 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા, 8 આરોપી હજી પણ ફરાર

Follow us on

2002માં થયેલા ગોધરા કાંડમાં આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ ચાલતા કેસમાં આજે તેઓ દોષી જાહેર થયા હતા. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. અગાઉ 31 વ્યક્તિઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી.

2002માં સર્જાયેલા ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને સળગાવી દેવાની ઘટનામાં કોર્ટે આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષીય યાકુબ પાતળીયાને હત્યાનો પ્રયાસ અને કાવતરુ ઘડવાના ગુનામાં સ્પેશિયલ SIT કોર્ટે બુધવારે આજીવન કેદની સજા ફટકારી છે. છેલ્લા 16 વર્ષથી યાકુબ પોલીસથી નાસતો ફરતો હતો. ગુજરાત પોલીસને જાન્યુઆરી 2018માં યાકુબ પાતળીયાને ઝ[પી લેવામાં સફળતા મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


શું હતી સમગ્ર ઘટના?

2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. તે ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. જે ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા અને કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. જે ગુનાનો આરોપી યાકુબની ધરપકડ ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ગત વર્ષે પોલીસે કરી હતી.

TV9 Gujarati

 

આ મામલાની તપાસ દરમિયાન પોલીસે કુલ 125 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ટ્રાયલ કોર્ટે 11 આરોપીઓને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની સજાને ફાંસીમાંથી આજીવન કેદમાં ફેરવી નાખી હતી. તેથી હવે યાકુબ સહિત કુલ 32 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ધરપકડ કરાયેલ 125 આરોપીઓમાંથી 63ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ કેસમાં હજી પણ આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:52 am, Wed, 20 March 19

Next Article