AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : થર્ડ વેવમાં રસીથી કેવી રીતે મળે છે રાહત, એ જાણો સુરતના ડોક્ટરોના અનુભવ પરથી

હોમ આઇસોલેશનમાં 3-4 દિવસમાં સ્વસ્થ થયેલા ડૉ. સંદીપે જણાવ્યું કે તેમને તાવ આવ્યો તો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.તેઓ ચોથા દિવસે કામ પર પાછા આવ્યા.

Surat : થર્ડ વેવમાં રસીથી કેવી રીતે મળે છે રાહત, એ જાણો સુરતના ડોક્ટરોના અનુભવ પરથી
પ્રતિકાત્મક ઇમેજ
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:16 PM
Share

સુરતમાં (Surat) ભલે કોરોનાના (Corona) કેસ ઝડપથી વધી રહ્યા હોય, પરંતુ રાહતની વાત એ પણ છે કે દર્દીઓ (Patients)પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના 35 ડોકટરો અને નર્સો સંક્રમિત થયા બાદ માત્ર 4 થી 5 દિવસમાં સ્વસ્થ થઈને કામ પર પાછા ફર્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકર, આરએમઓ ડો. કેતન નાયક, ફોરેન્સિક વિભાગના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના ડો. સંદીપ રલોટી પણ સામેલ છે.

મહત્વની વાત એ છે કે સાજા થયેલા ડૉક્ટરો અને સ્ટાફમાં કોઈને પણ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ નથી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. કોરોનાની પ્રથમ અને બીજા લહેરમાં સાજા થયેલા કોરોના દર્દીઓ લાંબા સમયથી પોસ્ટ કોવિડ સિન્ડ્રોમથી પીડિત હતા. તેમને માથાનો દુખાવો, નબળાઇ, તૂટક તૂટક તાવ, ફેફસાના ફાઇબ્રોસિસ સાથે શ્વાસની તકલીફ હતી. જેના કારણે લોકોની સારવાર કરનારા તબીબો પણ પરેશાન થઈ ગયા હતા. તેની સારવાર લાંબા સમય સુધી ચાલુ રહી હતી. ડોકટરોનું કહેવું છે કે નવું વેરિઅન્ટ નબળું અને ઓછું ઘાતક છે. સાથે જ રસી પણ તેનું કામ કરી રહી છે.

હોમ આઇસોલેશનમાં 3-4 દિવસમાં સ્વસ્થ થયેલા ડૉ. સંદીપે જણાવ્યું કે તેમને તાવ આવ્યો તો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.તેઓ ચોથા દિવસે કામ પર પાછા આવ્યા.

સિવિલના સુપ્રીટેન્ડન્ટ જણાવે ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું કે તેમને 3 થી 4 દિવસથી તાવ હતો. પત્નીને પણ ચેપ લાગ્યો હતો. 3 થી 4 દિવસની સારવાર પછી, બંને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા અને કામ પર પાછા ફર્યા.

ડોક્ટરોએ કહ્યું કે ત્રીજી લહેરમાં રાહતની વાત છે કે આ વખતે કોરોના પછી થતી તકલીફના દર્દીઓ નથી આવી રહ્યા. જ્યારે પ્રથમ અને બીજા લહેરમાં, કોરોનાથી સાજા થયેલા લોકો લાંબા સમયથી હૃદય, કિડની, લીવર, મગજ અને હોર્મોનલ ડિસઓર્ડર જેવી બીમારીઓને કારણે પરેશાન હતા. તે સમયે હોમ આઇસોલેશન પણ 14 દિવસથી ઓછું ન હતું. સ્વસ્થ થયા પછી પણ લોકોને રોગપ્રતિકારક શક્તિ મળે છે. આર.એમ.ઓ.ડો. કેતને જણાવ્યું કે તે ડાયાબિટીસથી પીડિત છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ, તેણે હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 થી 4 દિવસની પ્રાથમિક સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને પાછા કામ પર આવી ગયા છે.

આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

આ પણ વાંચો : Jamnagar : મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી કોરોના પોઝિટિવ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">