Omicron: ઓમિક્રોનને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે PM મોદીએ કરી ખાસ બેઠક, કહ્યું- આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા જરૂરી

પીએમ મોદીએ કહ્યું કે સરકાર સક્રિય પગલાં લેવા અને રાજ્યોને સમર્થન આપવા માટે દરેક રીતે તૈયાર છે.

Omicron: ઓમિક્રોનને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે PM મોદીએ કરી ખાસ બેઠક, કહ્યું- આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા જરૂરી
Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 11:03 PM

Omicron: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ની સ્થિતિને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ મંત્રીઓ અને અધિકારીઓ સાથેની આ બેઠકમાં  કોવિડ-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી.

ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાને સતર્ક અને સાવચેત રહેવા સૂચના આપી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય પ્રણાલીની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને નીચલા સ્તર સુધી વ્યવસ્થિત રાખવી જોઈએ જેથી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વડા પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારે આવનારી કોઈ પણ પરિસ્થિતી  માટે સંપૂર્ણ જાગૃત અને સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ. PM એ કહ્યું કે સરકાર સક્રિય પગલાં લેવા અને રાજ્યોને સમર્થન આપવા માટે દરેક રીતે તૈયાર છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ, રસીકરણ અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરો PM એ કહ્યું કે અમારું ધ્યાન ઝડપથી અને અસરકારક રીતે સંપર્ક ટ્રેસિંગ, પરીક્ષણ, રસીકરણ વધારવા અને આરોગ્ય માળખાને વધારવા પર છે. આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એવા રાજ્યોમાં ટીમ મોકલશે જ્યાં કોરોના રસીકરણનો દર ઓછો છે, જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને કેન્દ્રીય ટીમ એવા રાજ્યોમાં પણ જશે જ્યાં આરોગ્ય સુવિધાઓ નબળી છે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના 16 રાજ્યોમાંથી સામે આવેલા ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 300ની નજીક પહોંચી ગઈ છે.

ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકાર પણ તણાવમાં છે અને રાજ્યોને સતત સતર્ક રહેવા માટે કહી રહી છે. સરકારનું ટેન્શન પણ વધી રહ્યું છે કારણ કે આવનારા દિવસોમાં એટલે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ઓમિક્રોનના કેસ વધવાનું જોખમ ઘણું વધારે છે.

બેઠકમાં કોવિડની વર્તમાન સ્થિતિ અને વલણો પર ચર્ચા કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ  ઓમિક્રોન અને  તેની તૈયારીઓ, બૂસ્ટર ડોઝ, બાળકો માટે રસી અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં  આરોગ્ય  નિષ્ણાત, ગૃહ, પીએમઓ અને નીતિ આયોગના અધિકારીઓ  હાજર હતા.

અગાઉ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે. કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે કોરોનાવાયરસનો ઓમિક્રોન પ્રકાર તેના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછામાં ઓછો ત્રણ ગણો વધુ ચેપી છે અને જિલ્લા અને સ્થાનિક સ્તરે કટોકટી કામગીરી કેન્દ્રોને સક્રિય કરવા સાથે કડક અને અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાત્કાલિક નિવારક પગલાં લેવા જોઈએ.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાઇટ કર્ફ્યુ લાદવા, મોટા મેળાવડાઓનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપનારા લોકોની સંખ્યા ઘટાડવા, પરીક્ષણ અને દેખરેખ વધારવા ઉપરાંત વ્યૂહાત્મક નિર્ણયો લાગુ કરવા હાકલ કરી હતી. આ પત્ર દેશના જુદા જુદા ભાગોમાં કોવિડ-19ના કેસોમાં વધારાના પ્રારંભિક સંકેતો તેમજ ચિંતાજનક પેટર્ન ઓમિક્રોનને શોધવા માટે જે પગલાં લેવાની જરૂર છે તેના પર પ્રકાશ પાડે છે. ઓમિક્રોનની સંક્રમક્તા જોતા દેશમાં એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવાની પણ માંગ છે. ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરેન્દ્ર નગરના વઢવાણ નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીના ડૂબી જવાથી મૃત્યુ

આ પણ વાંચો: સુષ્મિતા સેન અને રોહમન શૉલનું થયું બ્રેકઅપ, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">