Omicron : દેશના આઠ રાજ્યો ઓમિક્રોનના હોટસ્પોટ બન્યા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ 48% કેસ નોંધાયા

દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ આઠ રાજ્યોમાં ઓમિક્રોન ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે.

Omicron : દેશના આઠ રાજ્યો ઓમિક્રોનના હોટસ્પોટ બન્યા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ 48% કેસ નોંધાયા
Omicron Variant Cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 2:11 PM

કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) આ દિવસોમાં વિશ્વના ઘણા દેશોમાં ગભરાટ પેદા કરી રહ્યું છે. તો સાથે જ દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના મામલા સામે આવ્યા છે. જે અંતર્ગત સોમવારે સવારે દેશના 17 રાજ્યોમાં ઓમિક્રોનના 578 દર્દીઓ (Omicron Cases) નોંધાયા હતા, પરંતુ આ 17 રાજ્યોમાંથી દેશના 8 રાજ્યો ઓમિક્રોન માટે સૌથી વધુ સંવેદનશીલ છે. ઉદાહરણ તરીકે, દિલ્હી (Delhi) અને મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યો ઓમિક્રોન વેરિઅન્ટ માટે હોટસ્પોટ બની રહ્યા છે. જેમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ઓમિક્રોનના 94% કેસ માત્ર આ આઠ રાજ્યોમાં જ નોંધાયા દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ આઠ રાજ્યોમાં ઓમિક્રોન ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ આઠ રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટકનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં દેશના કુલ ઓમિક્રોન સંક્રમિત લોકોના 94 ટકા હિસ્સો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોરોના ઓમિક્રોન અપડેટ અનુસાર, સોમવારે સવાર સુધી દેશમાં 578 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા. જેમાંથી સોમવારે સવાર સુધીમાં આમાંથી આઠ રાજ્યોમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 538 થઈ ગઈ છે. જ્યારે બાકીના નવ રાજ્યો (મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તર પ્રદેશ)માં અત્યાર સુધીમાં માત્ર 40 લોકો જ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

એકલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં 48% કેસ નોંધાયા ઓમિક્રોન દેશના 17 રાજ્યોમાં ફેલાયું છે. તેમાંથી 8 રાજ્યો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ માટે હોટ સ્પોટ બની રહ્યા છે, પરંતુ આ આઠ રાજ્યોમાં સામેલ દિલ્હી, મહારાષ્ટ્ર કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ માટે સૌથી વધુ સંવેદનશીલ બની ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ઓમિક્રોન ચેપના 578 કેસોમાંથી 48% કેસો એકલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જેમાં સોમવાર સુધી દિલ્હીમાં 142 કેસ સામે આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સોમવાર સવાર સુધીમાં 141 કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના (Corona Virus In India) 6,531 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 7,141 કોરોનાથી સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 75,841 છે અને આ રીતે રિકવરી રેટ વધીને 98.40 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : Corona Update: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 6,531 નવા કેસ નોંધાયા, દેશમાં ઓમીક્રોનના કુલ 578 કેસ

આ પણ વાંચો : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ અને અમરિન્દર સિંહની મુલાકાત, આ મુદ્દા પર થઈ વાતચીત

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">