Maharashtra Corona Report : મહારાષ્ટ્રમાં નોંધાયા 14372 કોરોના કેસ, ઓમિક્રોનને લાગી બ્રેક

મુંબઈમાં સતત બીજા દિવસે એક હજારથી ઓછા કોરોના કેસ એટલે કે 803 કેસ (Mumbai Corona Update) નોંધાયા છે. સોમવારે પણ માત્ર 960 કેસ સામે આવ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સુધરી રહ્યો નથી. મંગળવારે પણ 94 લોકોના મોત થયા હતા.

Maharashtra Corona Report : મહારાષ્ટ્રમાં નોંધાયા 14372 કોરોના કેસ, ઓમિક્રોનને લાગી બ્રેક
Corona Test (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 11:59 PM

માત્ર થોડા અઠવાડિયા પહેલાની જ વાત છે. મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Update) ના કેસ રોજના પિસ્તાલીસ હજારની નજીક આવતા હતા. એકલા મુંબઈમાં સરેરાશ દસ હજાર કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચિત્ર બદલાયું છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 14 હજાર 372 કેસ નોંધાયા છે. આ સાથે 30 હજાર 93 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા છે. ઓમિક્રોનનો એક પણ  કેસ નોંધાયો નથી.  મુંબઈ વિશે પણ વાત કરીએ તો, BMC અનુસાર, મંગળવારે એક હજારથી ઓછા એટલે કે 803 કેસ (Mumbai Corona Update) નોંધાયા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સુધરી રહ્યો નથી. મંગળવારે પણ રાજ્યમાં 94 લોકોના મોત થયા હતા. આ રીતે, મહારાષ્ટ્રમાં મૃત્યુ દર હાલમાં 1.84 ટકા છે. મૃત્યુઆંક ઘટે તે જરૂરી છે. ત્યારે જ માનવામાં આવશે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ધીમે ધીમે ટળી રહ્યો છે.

જો કે, એક સકારાત્મક બાબત એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 73 લાખ 97 હજાર 352 લોકોએ કોરોનાને માત આપી છે. આ રીતે, હાલમાં રાજ્યનો રિકવરી રેટ 95.63 ટકા છે. હાલમાં 10 લાખ 69 હજાર 596 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. 2731 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. અત્યાર સુધીમાં 7 કરોડ 47 લાખ 82 હજાર 391 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મુંબઈના આંકડા પણ લઈએ તો કોરોના કેસ માત્ર આઠસો

મુંબઈની વાત કરીએ તો, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવારે પ્રકાશમાં આવેલા 803 કેસમાંથી માત્ર 152 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આ રીતે મુંબઈમાં હાલમાં 37 હજાર 482 બેડમાંથી માત્ર 2 હજાર 36 બેડ જ ભરેલા છે. મંગળવારે 1 હજાર 800 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા. હાલમાં, કોરોના રિકવરી રેટ 97 ટકા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુંબઈમાં હાલ કોરોનાની આ છે સ્થિતિ

આ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં 7 લોકોના મોત પણ થયા છે. આ રીતે, મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 630 લોકોના મોત થયા છે. મુંબઈમાં હાલમાં 8 હજાર 888 સક્રિય કોરોના દર્દીઓ છે. હાલમાં મુંબઈમાં 5 ઈમારતો કોરોના સંક્રમણને કારણે સીલ કરવામાં આવી છે.

ઓમીક્રોન પર લાગી બ્રેક,  નથી નોંધાયો એક પણ કેસ

આ દરમિયાન, મંગળવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 3221 કેસ સામે આવ્યા છે. તેમાંથી 1682 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

આ પણ વાંચો :  મુંબઈકરોને મોટી રાહતઃ નાઈટ કર્ફ્યુ ખતમ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે થીમ પાર્ક-સ્વિમિંગ પૂલ, જાણો શું છે નવા નિયમો?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">