AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona Report : મહારાષ્ટ્રમાં નોંધાયા 14372 કોરોના કેસ, ઓમિક્રોનને લાગી બ્રેક

મુંબઈમાં સતત બીજા દિવસે એક હજારથી ઓછા કોરોના કેસ એટલે કે 803 કેસ (Mumbai Corona Update) નોંધાયા છે. સોમવારે પણ માત્ર 960 કેસ સામે આવ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સુધરી રહ્યો નથી. મંગળવારે પણ 94 લોકોના મોત થયા હતા.

Maharashtra Corona Report : મહારાષ્ટ્રમાં નોંધાયા 14372 કોરોના કેસ, ઓમિક્રોનને લાગી બ્રેક
Corona Test (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 11:59 PM
Share

માત્ર થોડા અઠવાડિયા પહેલાની જ વાત છે. મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Update) ના કેસ રોજના પિસ્તાલીસ હજારની નજીક આવતા હતા. એકલા મુંબઈમાં સરેરાશ દસ હજાર કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચિત્ર બદલાયું છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 14 હજાર 372 કેસ નોંધાયા છે. આ સાથે 30 હજાર 93 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા છે. ઓમિક્રોનનો એક પણ  કેસ નોંધાયો નથી.  મુંબઈ વિશે પણ વાત કરીએ તો, BMC અનુસાર, મંગળવારે એક હજારથી ઓછા એટલે કે 803 કેસ (Mumbai Corona Update) નોંધાયા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સુધરી રહ્યો નથી. મંગળવારે પણ રાજ્યમાં 94 લોકોના મોત થયા હતા. આ રીતે, મહારાષ્ટ્રમાં મૃત્યુ દર હાલમાં 1.84 ટકા છે. મૃત્યુઆંક ઘટે તે જરૂરી છે. ત્યારે જ માનવામાં આવશે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ધીમે ધીમે ટળી રહ્યો છે.

જો કે, એક સકારાત્મક બાબત એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 73 લાખ 97 હજાર 352 લોકોએ કોરોનાને માત આપી છે. આ રીતે, હાલમાં રાજ્યનો રિકવરી રેટ 95.63 ટકા છે. હાલમાં 10 લાખ 69 હજાર 596 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. 2731 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. અત્યાર સુધીમાં 7 કરોડ 47 લાખ 82 હજાર 391 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મુંબઈના આંકડા પણ લઈએ તો કોરોના કેસ માત્ર આઠસો

મુંબઈની વાત કરીએ તો, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવારે પ્રકાશમાં આવેલા 803 કેસમાંથી માત્ર 152 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આ રીતે મુંબઈમાં હાલમાં 37 હજાર 482 બેડમાંથી માત્ર 2 હજાર 36 બેડ જ ભરેલા છે. મંગળવારે 1 હજાર 800 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા. હાલમાં, કોરોના રિકવરી રેટ 97 ટકા છે.

મુંબઈમાં હાલ કોરોનાની આ છે સ્થિતિ

આ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં 7 લોકોના મોત પણ થયા છે. આ રીતે, મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 630 લોકોના મોત થયા છે. મુંબઈમાં હાલમાં 8 હજાર 888 સક્રિય કોરોના દર્દીઓ છે. હાલમાં મુંબઈમાં 5 ઈમારતો કોરોના સંક્રમણને કારણે સીલ કરવામાં આવી છે.

ઓમીક્રોન પર લાગી બ્રેક,  નથી નોંધાયો એક પણ કેસ

આ દરમિયાન, મંગળવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 3221 કેસ સામે આવ્યા છે. તેમાંથી 1682 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.

આ પણ વાંચો :  મુંબઈકરોને મોટી રાહતઃ નાઈટ કર્ફ્યુ ખતમ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે થીમ પાર્ક-સ્વિમિંગ પૂલ, જાણો શું છે નવા નિયમો?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">