Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2876 નવા કેસ સામે આવ્યા, સક્રિય કેસોમાં સતત ઘટાડો

છેલ્લા 24 કલાકમાં 3884 લોકો આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળ રહ્યા હતા, ત્યારબાદ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 32,811 થઈ ગઈ છે.

Corona Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2876 નવા કેસ સામે આવ્યા, સક્રિય કેસોમાં સતત ઘટાડો
India reported 2876 new COVID-19 cases in the last 24 hoursImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:43 AM

Corona Update: આજે ભારતમાં કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે (Covid-19 Cases) મંગળવારે, કોવિડ -19 ના 2,876 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં, 3884 લોકો આ જીવલેણ રોગને હરાવવામાં સફળ રહ્યા છે, જે પછી સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા (Active Cases In india) ઘટીને 32,811 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણને કારણે વધુ 98 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,16,072 થઈ ગયો છે.

દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 32,811 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.08 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1106 નો ઘટાડો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.72 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,24,50,055 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 180.40 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ચેપનો દૈનિક દર 0.38 ટકા નોંધાયો હતો અને સાપ્તાહિક દર 0.44 ટકા હતો. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 માટે કુલ 78.05 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 7,52,818 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Vastu Tips: ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ

વર્ષ 2020માં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા

નોંધનીય છે કે 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સૌથી વધુ મોત થયા છે

ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો. ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,16,072 લોકોના મોત થયા છે, જેમાંથી અનુક્રમે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મોત નોંધાયા છે. મૃત્યાંક. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી.

આ પણ વાંચો : VIDEO :’યુદ્ધએ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી’, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખનો આ વીડિયો થયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">