AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: ઓમિક્રોન અને ડેલ્ટાના લક્ષણો વચ્ચે આ છે તફાવત, આ લક્ષણ જણાય તો તરત જ કરાવો કોરોના ટેસ્ટ

ડોક્ટરોનું કહેવું છે કે ડેલ્ટાના ચેપગ્રસ્ત લોકોના ફેફસાં ખૂબ જ ઝડપથી બગડે છે. તેના દર્દીઓના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે.

Corona: ઓમિક્રોન અને ડેલ્ટાના લક્ષણો વચ્ચે આ છે તફાવત, આ લક્ષણ જણાય તો તરત જ કરાવો કોરોના ટેસ્ટ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:24 AM
Share

કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ વેરિઅન્ટના દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો (Symptoms of Omicron and Delta) જોવા મળી રહ્યા છે.

બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ચેપગ્રસ્તોમાં ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) જોવા મળી રહ્યો છે. જે ગંભીર પ્રકાર છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શરીરમાં કયા લક્ષણો દેખાય તો તમને ખબર પડશે કે તે ઓમિક્રોનના લક્ષણ (Symptoms) છે કે ડેલ્ટાના.

ડોકટરોના જણાવ્યા અનુસાર જો કે બંને વેરિઅન્ટના મોટાભાગના લક્ષણો સમાન છે, પરંતુ હજુ સુધી મળેલા ડેટા અનુસાર આવા ચાર લક્ષણો છે. જે ડેલ્ટા અને ઓમિક્રોનને અલગ પાડે છે. કોવિડ નિષ્ણાત ડૉ. અજય કુમાર જણાવે છે કે ઓમિક્રોન અને ડેલ્ટાના મોટાભાગના લક્ષણો ફ્લૂ જેવા જ છે, પરંતુ દર્દીઓની સારવાર દરમિયાન મળેલી માહિતી અનુસાર કેટલાક એવા જોવા મળ્યા છે જે આ બે પ્રકારોને અલગ પાડે છે.

ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓને ખૂબ જ તાવ હોય છે, જે ઘણા દિવસો સુધી ઓછો થતો નથી. જ્યારે ઓમિક્રોનમાં આ જોવા મળતું નથી. ડેલ્ટાથી સંક્રમિત થયા પછી, વ્યક્તિમાં ફલૂ જેવા લક્ષણો 10થી 12 દિવસ સુધી રહે છે, પરંતુ ઓમિક્રોનમાં તે ત્રણથી ચાર દિવસમાં ખતમ થાય છે.

ફેફસાંને નુકસાન

ડૉક્ટરે જણાવ્યું કે ડેલ્ટાના ચેપગ્રસ્ત લોકોના ફેફસાં ખૂબ જ ઝડપથી બગડે છે. તેના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, તે તાત્કાલિક સીટી સ્કેન કરાવવાની નોબત આવે છે. લોકોના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટવા લાગે છે. ઓમિક્રોન ફેફસાને નુકસાન પહોંચાડતું નથી.

આ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી નથી. ડેલ્ટા ચેપગ્રસ્ત લોકોને સ્વાદ અને ગંધ ગુમાવવાની ઘણી સમસ્યાઓ હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણ જોવા મળતું નથી. ડેલ્ટાના ચેપગ્રસ્ત દર્દીઓમાં હળવા લક્ષણોવાળા ઓછા દર્દીઓ હતા, પરંતુ ઓમિક્રોનમાં આવા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

તાવ એ કોરોના નથી

ડૉક્ટરનું કહેવું છે કે જો તમને તાવ છે તો જરૂરી નથી કે તે કોરોનાનું લક્ષણ હોય. ઘણી વખત કોઈક ફ્લૂ કે વાયરલને કારણે તાવ આવે છે. આ કિસ્સામાં તેને ઓમિક્રોન અથવા ડેલ્ટા સાથે જોડવાનો પ્રયાસ કરશો નહીં.

આ પણ વાંચો: Gold: ગોલ્ડ બોન્ડ છે તમારા માટે નફાકારક સોદો, આ 6 કારણોસર કરી શકો છો રોકાણ

આ પણ વાંચો: Technology News: હવે WhatsApp દ્વારા પણ રીસેટ કરી શકો છો UPI PIN, જાણો શું છે પ્રોસેસ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">