AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની રાજધાનીમાં કોરોનાની રીએન્ટ્રી? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 141 કેસ, એકનું મોત

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના (Corona In Delhi) 141 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક દર્દીનું પણ મોત થયું છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 608 સક્રિય કેસ છે. તે જ સમયે, કોરોનાનો પોઝીટીવીટી દર 1.29% છે.

દેશની રાજધાનીમાં કોરોનાની રીએન્ટ્રી? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 141 કેસ, એકનું મોત
Delhi Corona Cases (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:30 PM
Share
છેલ્લા ત્રણ દિવસથી રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં (Corona In Delhi) ઉછાળો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક દર્દીનું પણ મોત થયું છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 608 સક્રિય કેસ છે. કોરોનાનો પોઝીટીવીટી દર 1.29% છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોનામાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 10 એપ્રિલના રોજ કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. જ્યારે સાત દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 10 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે.
રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,976 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 129 છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

દેશમાં XE વેરિઅન્ટના ત્રણ કેસ મળી આવ્યા

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XEના ત્રણ કેસ મળી આવ્યા છે. પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો હતો. આફ્રિકાની એક 50 વર્ષીય મહિલા મુંબઈમાં XE થી સંક્રમિત મળી આવી હતી. આ પછી ગુજરાતમાં 13 માર્ચે એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેની સ્થિતિ સારી હતી. જ્યારે નમૂનાના પરિણામો આવ્યા, ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું. ત્રીજો કેસ મુંબઈના સાંતાક્રુઝમાં જોવા મળ્યો હતો.
અહીં એક 67 વર્ષીય વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા. વ્યક્તિને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">