Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છે

|

Jul 31, 2022 | 10:14 AM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના 19,673 નવા કેસ નોંધાયા છે.

Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,673 નવા કેસ, 39 દર્દીઓના મોત થયા છે
Image Credit source: PTI

Follow us on

Corona Updates:  દેશમાં કોરોના વાયરસ (Coronavirus )ના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ચેપના 19,673 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 39 મૃત્યુ પણ નોંધાયા છે. તેમાંથી સૌથી વધુ સાત મૃત્યુ પશ્ચિમ બંગાળમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ચાર અને દિલ્હી (Delhi)માં ત્રણ મૃત્યુની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 143,676 થઈ ગઈ છે, જે કુલ નોંધાયેલા કેસના 0.33 ટકા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના (Cororna) નવા 1012 કેસ નોંધાયા છે.  30 તારીખના રોજ રાજયમાં 945 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 12, 36, 985 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો એક્ટિવ (Active Case ) કેસની સંખ્યા 6, 274 છે. અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના નવા 312 કેસ, મહેસાણામાં 99, વડોદરામાં 79, કચ્છ 52, સુરતમાં 48, વડોદરા ગ્રામ્ય 44, ગાંધીનગરમાં 31, સાબરકાંઠામાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 27, સુરતમાં 27, રાજકોટ કોર્પોરેશનમાં 23, ભાવનગર કોર્પોરેશનમાં 22, બનાસકાંઠામાં 19, પાટણમાં 18, રાજકોટ ગ્રામ્યમાં 18, પોરબંદરમાં 17, મોરબીમાં 14, નવસારીમાં 14, ભરૂચમાં 13, આણંદમાં 10, વલસાડમાં 10, જામનગર કોર્પોરેશનમાં 09, સુરેન્દ્રનગરમાં 09, અમદાવાદ ગ્રામ્યમાં 08, ખેડામાં 07, દેવભૂમિ દ્વારકામાં 04, ગીર સોમનાથમાં 04, પંચમહાલમાં 04, તાપીમાં 04, બોટાદમાં 03, જામનગરમાં 02, અરવલ્લીમાં 01, ભાવનગર ગ્રામ્યમાં 01, ડાંગમાં 01 નોંધાયા છે. તો રાજ્યમાં કુલ 2નાં મોત થયા છે.

રાજકોટમાં આરોગ્ય તંત્ર દ્વારા લોકમેળામાં જાગૃતિની અપીલ

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ જામી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે

Published On - 9:56 am, Sun, 31 July 22

Next Article