ઉત્તરપ્રદેશમાં 10 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અંગે CM Yogi Adityanath એ મોટી જાહેરાત કરી
CM Yogi Adityanath એ કહ્યું ત્રીજી લહેર આવતા પહેલા રાજ્યની તમામ મેડિકલ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવાશે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર (3rd wave of corona) પહેલા ઉત્તરપ્રદેશમાં રસીકરણ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ મોટી જાહેરાત કરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ઉત્તરપ્રદેશ સરકારની રસીકરણ તેમજ અન્ય તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઇટાવા (Etawah) માં માહિતી આપી હતી.
10 વર્ષ સુધીના તમામ બાળકો અને માતા-પિતાનું રસીકરણ ઉત્તરપ્રદેશમાં રસીકરણ અંગે મોટી જાહેરાત કરતા ઇટાવામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ મોટી જાહેરાત કરતા કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ઉત્તરપ્રદેશમાં 10 વર્ષ સુધીના તમામ બાળકો અને તેમના માતા-પિતાનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, તેમના પરિવારો અને મીડિયાકર્મીઓ માટે બધા જિલ્લામાં અલગ અલગ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
थर्ड वेव आने से पहले हमारा प्रयास है की प्रदेश में 10 वर्ष से कम उम्र के जिनके बच्चे हैं, उनके माता-पिता को वैक्सीन से आच्छादित करने का कार्य कर सकें।
इस तरह थर्ड वेव से पहले हर परिवार को एक सुरक्षा कवच उपलब्ध कराने का कार्य किया जा सकेगा: #UPCM श्री @myogiadityanath जी
— CM Office, GoUP (@CMOfficeUP) May 22, 2021
ઉત્તરપ્રદેશમાં રસીકરણ અભિયાન ગતિમાં ઇટાવામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં રસીકરણ અભિયાન ગતિમાં છે. કોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ મીડિયાકર્મીઓના રસીકરણની શરૂઆત લખનૌ અને નોઈડામાં કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ઇલાહાબાદ હાઈકોર્ટ અને લખનૌ બેંચમાં પણ રસી આપવામાં આવી રહી છે. ઇટાવા ખાતે 1 લાખ 20 હજારથી વધુ લોકોના રસીકરણ અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઇટાવાના લોકો જાગૃત છે અને વહીવટીતંત્રે પણ રસીકરણની ગતિ વધારી છે.
મેડિકલ કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવાશે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા અંગેની ઉત્તરપ્રદેશ સરકારની તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ કહ્યું કે ત્રીજી લહેર આવતા પહેલા રાજ્યની તમામ મેડિકલ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લા હોસ્પિટલોમાં 25-25 બેડના પેડિયાટ્રિક વોર્ડ પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ