AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Booster Dose: કોરોના રસીના બૂસ્ટર ડોઝ માટે નહીં કરાવવું પડે નવું રજીસ્ટ્રેશન, 10 જાન્યુઆરીથી અપાશે વેક્સિન

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે 10મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે.

Booster Dose: કોરોના રસીના બૂસ્ટર ડોઝ માટે નહીં કરાવવું પડે નવું રજીસ્ટ્રેશન, 10 જાન્યુઆરીથી અપાશે વેક્સિન
Corona Vaccination - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:51 PM
Share
દેશમાં કોરોના (Corona Cases) સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (The Ministry of Health and Family Welfare) ના જણાવ્યા અનુસાર, કોરોના રસીના (Corona Vaccine) બૂસ્ટર ડોઝ લેવા માટે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં.
જે લોકોએ COVID-19 રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં સીધા જ મુલાકાત લઈ શકે છે અથવા વૉક-ઈન કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ 8 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તાજેતરમાં 60 વર્ષથી વધુ ઉંમરના નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝ (Precaution Doses) ની રજૂઆતની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત 10મી જાન્યુઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે.
બૂસ્ટર ડોઝને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા. આ પ્રશ્નોના જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓએ નવી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ લોકોએ તેમની રસી માટે રસીકરણ કેન્દ્રમાં જ તેમની એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જો તે કોઈ કારણસર એપોઈન્ટમેન્ટ લઈ શકતો નથી, તો તે સીધો રસીકરણ કેન્દ્ર પર જઈને પણ વેક્સીન લગાવી શકે છે.
રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર બૂસ્ટર વેક્સીનનો ડોઝ પ્રથમ બે ડોઝ જેવો જ હશે. નીતિ આયોગના સદસ્ય ડૉ. વિનોદ કે પૉલે જણાવ્યું હતું કે, જેમને કોવૅક્સિન મળ્યું છે, તેમને જ કોવૅક્સિન આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડના પ્રાથમિક બે ડોઝ મેળવ્યા છે તેમને કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં.
એક જ દિવસમાં કોરોનાનો આંકડો એક લાખને પાર કરી ગયો
દેશમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે 200 દિવસ પછી શુક્રવારે 1,17,100 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 30,836 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ પહેલા ગુરુવારે મોડી સાંજ સુધી દેશમાં કોરોનાના 1,16,836 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા સાત મહિનામાં આ પ્રથમ વખત હતો જ્યારે દેશમાં દૈનિક કેસ એક લાખના આંકને વટાવી ગયા છે. અગાઉ 6 જૂન, 2021ના રોજ 1,01,209 નવા કેસ નોંધાયા હતા. આ પણ વાંચો: Corona Cases In Maharashtra: 24 કલાકમાં 40 હજારથી વધારે નવા કેસ, 20 લોકોના મોત

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">