AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGCનો નિર્દેશ, યુનિવર્સિટીઓ, કોલેજોના વિદ્યાર્થીઓએ રોકાણ અને નાણાકીય સાક્ષરતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજો/સંસ્થાઓને રોકાણકાર અને નાણાકીય સાક્ષરતા અભિયાનમાં ભાગ લેવા જણાવ્યું છે.

UGCનો નિર્દેશ, યુનિવર્સિટીઓ, કોલેજોના વિદ્યાર્થીઓએ રોકાણ અને નાણાકીય સાક્ષરતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ
UGC
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:23 PM
Share

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (University Grants Commission, UGC) એ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજો/સંસ્થાઓને રોકાણકાર અને નાણાકીય સાક્ષરતા અભિયાનમાં ભાગ લેવા જણાવ્યું છે. તેનો ઉદ્દેશ્ય લોકોમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણની જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થી સમુદાયનો ઉપયોગ કરવાનો છે. યુજીસીના સચિવ રજનીશ જૈને તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળના રોકાણકાર સંરક્ષણ ભંડોળ સત્તામંડળ અને શિક્ષણ મંત્રાલયના સહયોગથી ‘રોકાણકાર અને નાણાકીય સાક્ષરતા અભિયાન’ ચલાવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

તેમણે કહ્યું કે આ અભિયાન ત્રણ મહિનાનું છે અને તેમાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ઉમેરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, આ ઝુંબેશનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી સમુદાયનો ઉપયોગ રોકાણકારોની જાગૃતિના સંદેશાઓ ફેલાવવા માટે કરવાનો છે. કારણ કે, વિદ્યાર્થી સમુદાય પરિવર્તનના માધ્યમ તરીકે કામ કરી શકે છે અને રોકાણકારોની જાગૃતિના સંદેશાઓનો પ્રચાર કરી શકે છે. UGC માને છે કે આવા અભિયાનો દ્વારા વિદ્યાર્થીઓ એક તરફ ઉત્પ્રેરક તરીકે કામ કરશે તો બીજી તરફ તેઓ પોતાના માટે શીખશે અને અનુભવ મેળવશે.

જૈને તેમના પત્રમાં જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીઓ અને તેમની સંલગ્ન કોલેજો, સંસ્થાઓને આ અભિયાનમાં ભાગ લેવા અને તેને સફળ બનાવવા વિનંતી કરવામાં આવે છે.” 500 પસંદ કરેલા શહેરોમાંથી 500 સંસ્થાઓ (કોલેજ/સંસ્થાઓ) ઓળખી શકાય છે.

આમાં, NSS સ્વયંસેવકો અને વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને કાર્યક્રમો અનુસાર તેમના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓના ફોટા, મોબાઇલ વીડિયો અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ અંતર્ગત જે સંસ્થાઓ, કોલેજો, હાઈસ્કૂલ અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવશે.

IPBS PO પરીક્ષાની તારીખ થઈ જાહેર

IBPS PO Exam 2021 Date: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શને પ્રોબેશનરી ઓફિસર્સની પોસ્ટ પર ભરતી માટેની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ- ibps.in પર જઈને વિગતો જોઈ શકે છે. આ વખતે બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા (IBPS PO Recruitment 2021) દ્વારા કુલ 4135 PO ભરતી થશે.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી જાહેર, જાણો ભરતીની સમગ્ર વિગત

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">