આજે ‘Pariksha Pe Charcha 2023’ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને આપશે તણાવમુક્ત રહેવાનો મંત્ર

|

Jan 27, 2023 | 7:23 AM

Pariksha Pe Charcha 2023: ગયા વર્ષે કાર્યક્રમ માટે લગભગ 15.3 લાખ રજીસ્ટ્રેશન થયા હતા. પરીક્ષા પે ચર્ચા 2023 માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 નવેમ્બર 2022થી શરૂ થઈને 30 ડિસેમ્બર 2022 સુધી ચાલી હતી.

આજે Pariksha Pe Charcha 2023 કાર્યક્રમ, વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓને આપશે તણાવમુક્ત રહેવાનો મંત્ર
PM Modi (file photo)
Image Credit source: File Image

Follow us on

‘પરીક્ષા પે ચર્ચા 2023’નો આજે એટલે કે 27 જાન્યુઆરી 2023એ છઠ્ઠો એડિશન આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડ પરીક્ષા 2023 પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને તેમને તણાવથી મુકત રહેવા માટેના મંત્ર આપશે. કાર્યક્રમનું આયોજન દિલ્હીના તાલકટોરા ઈન્દોર સ્ટેડિયમમાં સવારે 11 વાગ્યે કરવામાં આવશે. ‘પરીક્ષા પે ચર્ચા 2023’નું સીધુ પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે.

જણાવી દઈએ કે આ વખતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે લગભગ 38.8 લાખ રજિસ્ટ્રેશન થયા છે. જેમાંથી 16 લાખથી વધારે રાજ્ય બોર્ડના છે અને 155 દેશથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશનની આ સંખ્યા ગયા વર્ષની તુલનામાં બે ઘણી વધારે છે. ગયા વર્ષે કાર્યક્રમ માટે લગભગ 15.3 લાખ રજીસ્ટ્રેશન થયા હતા. પરીક્ષા પે ચર્ચા 2023 માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 નવેમ્બર 2022થી શરૂ થઈને 30 ડિસેમ્બર 2022 સુધી ચાલી હતી.

આ પણ વાંચો: Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે અપડેટ થયા પેટ્રોલ – ડીઝલના ભાવ, આ રીતે જાણો તમારા શહેરની ઇંધણની કિંમત

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અહીં જોઈ શકો છો લાઈવ ટેલીકાસ્ટ

દૂરદર્શન સિવાય કાર્યક્રમને લઈવ જોવા માટે શિક્ષણ મંત્રાલય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસના ટ્વીટર હેન્ડલ પર જોઈ શકો છે. આ કાર્યક્રમનું શિક્ષણ મંત્રાલય દ્વારા ટ્વીટર, ફેસબુક, યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ education.gov.in પર પણ સીધુ પ્રસારણ કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જાન્યુઆરીએ પરીક્ષા પર ચર્ચા 2023 પહેલા એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. મીડિયાને જાણકારી આપતા શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી દૂર રહેવામાં મદદ કરવા માટે પરીક્ષા પર ચર્ચાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શિક્ષણ પ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીના આ અનોખા અને લોકપ્રિય પહેલને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને વધાર્યો છે અને તેમને બોર્ડ પરીક્ષાના સમયે તણાવ દૂર કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરી છે.

મંત્રીએ એ પણ જાહેરાત કરી કે લગભગ 20 લાખ પ્રશ્ન મેળવ્યા છે અને NCERTએ પરિવારના દબાણ, તણાવ, પ્રશ્નો વિવિધ વિષયો પર શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમ કે કેવી રીતે સ્વસ્થ અને ફિટ રહેવું, કારકિર્દીની પસંદગી વગેરે. કલા ઉત્સવના વિજેતાઓ અને રાજ્યોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ 26 જાન્યુઆરી 2023ના રોજ ગણતંત્ર દિવસની પરેડ જોઈ.

11 ભાષાઓમાં છે વડાપ્રધાન મોદીનું પુસ્તક

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદીએ 2018માં ‘એકઝામ વોરિયર્સ’ પુસ્તક પણ લખ્યું. આ પુસ્તકને અત્યાર સુધી 11 ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યુ છે. જેમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ સિવાય હિન્દી અને અંગ્રેજીના સંશોધિત સંસ્કરણો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Next Article