NRTI Admission 2021: રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા (NRTI)એ શૈક્ષણિક વર્ષ 2021-22માં વિવિધ યુજી અને પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખની સમય મર્યાદા વધારી છે. સંસ્થા દ્વારા બીબીએ, બીએસસી, એમએસસી, એમબીએ અને પીજીડીએમ અભ્યાસક્રમો માટેની અરજીઓની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2021 સુધી વધારવામાં આવી છે, જ્યારે બીટેક અભ્યાસક્રમો માટે હવે 15 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.
નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટમાં (NRTI)એ મંત્રાલય દ્વારા વડોદરામાં સ્થાપિત ડીમ્ડ યુનિવર્સિટી છે. આ સંસ્થાએ 2021-22 ના શૈક્ષણિક વર્ષ માટે તેનું બીબીએ, બીએસસી, બીટેક, એમબીએ અને એમએસસી જાહેર કર્યું છે, 12મા ધોરણના પરિણામો, જેઇઇ મેન્સ, યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન પરિણામ, એઆઇસીટીઇ અને યુજીસી દ્વારા જાહેર કરાયેલા પ્રવેશ અને શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને. અભ્યાસક્રમો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
NRTIના કુલપતિ અલકા અરોરા મિશ્રાના જણાવ્યા અનુસાર, કોવિડ-19 ને કારણે ઘણા વિદ્યાર્થીઓની સમસ્યાઓ ધ્યાનમાં રાખીને છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. પરંતુ બારમા ધોરણના પરીક્ષાનું પરિણામ, યુનિવર્સિટીના સ્નાતક પરિણામો , જે.ઇ.ઇ. પરીક્ષા.ના કાર્યક્રમોની અસર નિયમનકારી સૂચનાઓથી પણ થાય છે.
હવે બીબીએ, બીએસસી, એમએસસી અને એમબીએ અભ્યાસક્રમો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ, 2021 અને બીટેક અભ્યાસક્રમો માટે 15 સપ્ટેમ્બર 2021 હશે. વિદ્યાર્થીઓને તેમના વિકલ્પોનું મૂલ્યાંકન કરવા અને એનઆરટીઆઈના પ્રતિષ્ઠિત કાર્યક્રમો માટે અરજી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. જે ઉમેદવારો આમાં અરજી કરવા માંગે છે તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે. અને પ્રવેશ પરીક્ષા માટે નોંધણી www.nrti.edu.in પર કરી શકશે. ફક્ત ઓનલાઇન અરજીઓ સ્વીકાર્ય છે.
Published On - 9:51 pm, Thu, 22 July 21