NEET PG Counselling 2021: આવતીકાલથી NEET PG કાઉન્સેલિંગ શરૂ થઈ રહ્યું છે, આ વખતે થશે આ 6 ફેરફારો

NEET PG 2021 Counselling: NEET PG કાઉન્સેલિંગ 2021નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. મેડિકલ પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ કાઉન્સેલિંગ (NEET PG Counselling) બુધવાર, 12 જાન્યુઆરી 2022થી શરૂ થઈ રહ્યું છે.

NEET PG Counselling 2021: આવતીકાલથી NEET PG કાઉન્સેલિંગ શરૂ થઈ રહ્યું છે, આ વખતે થશે આ 6 ફેરફારો
NEET PG Counseling 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 2:16 PM

NEET PG 2021 Counselling: NEET PG કાઉન્સેલિંગ 2021નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. મેડિકલ પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ કાઉન્સેલિંગ (NEET PG Counselling) બુધવાર, 12 જાન્યુઆરી 2022થી શરૂ થઈ રહ્યું છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ની અધિકૃત વેબસાઇટ mcc.nic.in પર સંપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

આ મુજબ, 07 થી 10 જાન્યુઆરી 2022 સુધી તમામ સંસ્થાઓમાં કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડ માટે NEET PG બેઠકોની સંખ્યા ચકાસવામાં આવી છે. હવે પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 12 જાન્યુઆરીથી શરૂ થશે. આ વખતે NEET PGની કાઉન્સેલિંગ પ્રક્રિયામાં 6 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

NEET PG પ્રથમ રાઉન્ડના કાઉન્સેલિંગ માટે નોંધણી, ફીની ચુકવણી, ચોઇસ ફિલિંગ અને લોકીંગની પ્રક્રિયા 12 થી 17 જાન્યુઆરી 2022 સુધી ચાલશે. સીટ એલોટમેન્ટ 20 અને 21 જાન્યુઆરી 2022ના રોજ થશે. આ પછી, NEET PG કાઉન્સેલિંગ પ્રથમ રાઉન્ડનું પરિણામ 22 જાન્યુઆરી 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. કાઉન્સેલિંગની સમગ્ર પ્રક્રિયા 16 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થશે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

NEET PG: આ 6 ફેરફારો થશે

NEET PG 2021 કાઉન્સેલિંગમાં 6 મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. MCCએ સમજાવ્યું છે કે, NEET PG કાઉન્સેલિંગ 2020 થી 2021 કેવી રીતે અલગ હશે. જાણો આ વખતે શું હશે નવું.

1. આ વખતે NEET PG ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકો (NEET PG AIQ Counselling 2021) માટે કાઉન્સેલિંગ કુલ 4 રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે – રાઉન્ડ 1, રાઉન્ડ 2, મોપ-અપ રાઉન્ડ અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. અગાઉ આ કાઉન્સેલિંગમાં માત્ર બે રાઉન્ડ હતા.

2. AIQ કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ પછી જે બેઠકો બાકી રહી હતી તે અગાઉ રાજ્યોને પરત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે રાઉન્ડ 2 પછી તે થશે નહીં. આ બેઠકો રાજ્યોને પરત કરવામાં આવશે નહીં.

3. એનઆરઆઈ/મુસ્લિમ લઘુમતી/જૈન લઘુમતીની ખાલી બેઠકો મોપ-અપ રાઉન્ડ પછી ડીમ્ડ યુનિવર્સિટીઓને પરત કરવામાં આવીતી હતી. ત્યારબાદ યુનિવર્સિટી તેમના પર સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ કાઉન્સેલિંગ કરતી હતી. પરંતુ આ વખતે આ તમામ બેઠકો ભારતીય નાગરિકોમાં ફેરવાશે. આ અનામત બેઠકોમાંથી જે મોપ-અપ રાઉન્ડ દરમિયાન ખાલી રહે છે, તેમને ડીમ્ડ યુનિવર્સિટીમાં પરત કરતા પહેલા ભારતીય રાષ્ટ્રીય બેઠકોમાં રૂપાંતરિત કરવામાં આવશે.

4. NEET PG 2021 કાઉન્સેલિંગમાં આરક્ષણ માટેના નિયમો – SC માટે 15 ટકા બેઠકો, ST માટે 7.5 ટકા, OBC (NCL) માટે 27 ટકા (સેન્ટ્રલ OBC યાદી મુજબ), EWS માટે 10 ટકા અનામત, દિવ્યાંગ વર્ગ માટે 5 ટકા હશે. તફાવત એ છે કે અગાઉ OBC અને EWS અનામત માત્ર કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં જ હતી, પરંતુ આ વખતે તે રાજ્યની બેઠકોમાં પણ લાગુ કરવામાં આવી રહી છે.

5. આ વખતે PG DNB સીટો (PG DNB Counselling 2021) માટે કાઉન્સેલિંગ પણ MBB દ્વારા કરવામાં આવી રહ્યું છે. પહેલા આવું નહોતું.

6. આ વખતે NEET PG સ્ટ્રે વેકેન્સી રાઉન્ડનું કાઉન્સેલિંગ MCC દ્વારા તમામ સેન્ટ્રલ યુનિવર્સિટી, ઓલ ઈન્ડિયા ક્વોટા અને DNB સીટો માટે ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવશે. અગાઉ સ્ટ્રે વેકેન્સી કાઉન્સેલિંગ રાઉન્ડ માત્ર સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટમાં જ હાથ ધરવામાં આવતો હતો. સંસ્થાઓ પોતે આ રાઉન્ડ ઓફલાઈન મોડ પર કરાવતી હતી.

આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ

આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">