MHT CET 2022 Postponed: JEE Mains અને NEETને કારણે મહારાષ્ટ્ર CET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

MHT CET 2022 Date: સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, મહારાષ્ટ્ર દ્વારા આયોજિત થનારી મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી છે. તેમણે ટ્વિટર પર કહ્યું છે કે, NEET 2022 અને JEE 2022 પરીક્ષાને કારણે મહારાષ્ટ્ર CET પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.

MHT CET 2022 Postponed: JEE Mains અને NEETને કારણે મહારાષ્ટ્ર CET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
MHT CET 2022 Postponed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 2:28 PM

MHT CET 2022 Date: સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, મહારાષ્ટ્ર દ્વારા આયોજિત થનારી મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHT CET) મુલતવી રાખવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી છે. તેમણે ટ્વિટર પર કહ્યું છે કે, NEET 2022 અને JEE 2022 પરીક્ષાને (JEE Mains And NEET Exam) કારણે મહારાષ્ટ્ર CET પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર CETની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. JEE અને NEET પરીક્ષાને કારણે, CET પરીક્ષા (MHT CET 2022) ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે. હજુ તારીખો જાહેર કરવામાં આવી નથી. અગાઉ MHT CET 2022ની પરીક્ષા 11 થી 16 જૂન દરમિયાન યોજાવાની હતી.

NEETની પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવશે

JEE મેઈન 2022 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. JEE Mains સત્ર 1ની પરીક્ષા 29 જૂને સમાપ્ત થશે. JEE Mains સત્ર 2 ની પરીક્ષા 30 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થશે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET UG 2022ની પરીક્ષા 17 જુલાઈ, 2022ના રોજ યોજાવાની છે. આ મુખ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂર્ણ થયા પછી મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Maharashtra Common Entrance Test) લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને 2022-23 પ્રવેશ માટેની કૉલેજ પ્રવેશ પરીક્ષા સાથે કોઈ સંઘર્ષનો સામનો કરવો ન પડે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ JEE, NEETની પરીક્ષા આપે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી પડી શકે છે અથવા આ પરીક્ષા વચ્ચે કોઈ તકરાર થઈ શકે છે.

MHT CET માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

મહારાષ્ટ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (MHT CET 2022) દર વર્ષે સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેલ, મુંબઈ દ્વારા એન્જિનિયરિંગ / ટેક્નોલોજી, ફાર્મસી અને એગ્રીકલ્ચર એજ્યુકેશનના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. MHT CET 2022 પરીક્ષા મહારાષ્ટ્ર રાજ્યની અંદર અને બહારના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. MHT CET 2022 રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 31મી માર્ચે પૂરી થઈ હતી. દેશભરના ઘણા વિદ્યાર્થીઓ NEET JEE પરીક્ષાને કારણે અન્ય પરીક્ષાઓ મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ 12મીની પરીક્ષા સાથેના સંઘર્ષને કારણે પશ્ચિમ બંગાળ JEE પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">