JoSAA Counselling 2021: રાઉન્ડ 3 સીટ એલોટમેન્ટ પરિણામો થયા જાહેર, આહિં તપાસો લિસ્ટ
જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા 2021 માટે ત્રીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટે સીટ એલોટમેન્ટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
JoSAA Counseling round 3 Seat Allotment Result: જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા 2021 માટે ત્રીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટે સીટ એલોટમેન્ટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ નોંધણી કરાવી છે તેઓ JoSAAની સત્તાવાર વેબસાઇટ josaa.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જો ઉમેદવારોને પરિણામ જોવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તેઓ નીચે આપેલા પગલાઓની મદદથી સરળતાથી પરિણામ ચકાસી શકે છે.
તમને જણાવી દઈએ કે, જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 3 કાઉન્સેલિંગ દ્વારા સીટોની ફાળવણી કરવામાં આવી છે તેઓએ 7 થી 8 નવેમ્બર, 2021 સુધી ઓનલાઈન રિપોર્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સીટ સુરક્ષિત કરવા માટે, વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ ચકાસવું પડશે અને તેને અપલોડ કરવું પડશે. કાઉન્સેલિંગ ફીની ચુકવણી સાથે તમારી સીટ કન્ફર્મ કરવામાં આવશે.
પરિણામ કેવી રીતે તપાસવું
- સૌપ્રથમ JoSAA josaa.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- સ્ક્રીન પર દેખાતા હોમપેજ પર, ‘સીટ એલોટમેન્ટ રિઝલ્ટ – રાઉન્ડ 3’ લિંક પર ક્લિક કરો.
- ઉમેદવારો એક નવું લૉગિન પેજ ખોલશે અને ત્યારબાદ બીજું પેજ આવશે.
- JEE Main અથવા JEE એડવાન્સ એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો
- JoSAAના રાઉન્ડ 3 નું સીટ એલોટમેન્ટ પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- તમે ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.
JoSAA રાઉન્ડ 3 કાઉન્સેલિંગ રાઉન્ડ હેઠળ પ્રશ્નોના જવાબ આપવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર, 2021 છે. JoSAA 4થા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ પરિણામ 10 નવેમ્બર, 2021 ના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તેમની સીટ ફ્રીઝ અથવા ફ્લોટ કરવાનું પણ પસંદ કરી શકે છે. જો ઉમેદવાર ફાળવેલ સીટથી સંતુષ્ટ હોય, તો તેઓ તેને ફ્રીઝ કરી શકે છે, એટલે કે તેઓ સીટ મેળવી રહ્યા છે અને આગળના કાઉન્સેલિંગ રાઉન્ડમાં ભાગ લેશે નહીં. જે અરજદારો સંતુષ્ટ નથી અને કાઉન્સેલિંગના આગળના રાઉન્ડમાં ભાગ લેવા માગે છે તેઓ ફાળવેલ સીટ ફ્લોટ કરવાનું પસંદ કરી શકે છે.
JoSAA શું છે
JEE Main અને JEE એડવાન્સ્ડ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે JoSAA કાઉન્સેલિંગ કરે છે. JoSAA કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs), નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IIITs) અને અન્ય સરકારી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (GFTIs)માં એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા