IIM Admission Criteria: IIM Aએ પ્રવેશ માપદંડ બદલ્યો, હવે ગ્રેજ્યુએશન માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં

|

Jan 20, 2022 | 3:24 PM

IIM Ahmedabad admission 2022 new criteria: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે.

IIM Admission Criteria: IIM Aએ પ્રવેશ માપદંડ બદલ્યો, હવે ગ્રેજ્યુએશન માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં
File photo - IIM Ahmedabad

Follow us on

IIM Ahmedabad admission 2022 new criteria: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં (Indian Institute of Management) પ્રવેશ માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. IIM અમદાવાદે MBA એડમિશન 2022 માટે પાત્રતાના માપદંડમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે અહીં MBA કોર્સમાં એડમિશન માટે ગ્રેજ્યુએશન માર્કસ ગણવામાં આવશે નહીં. એટલે કે, પ્રવેશ માટે તમારા ગ્રેજ્યુએશન માર્કસનું કોઈ ભારણ હશે નહીં. IIM એડમિશન 2022ના આધારે સ્નાતકની ડિગ્રીમાં મેળવેલા ગુણને બાકાત રાખવામાં આવ્યા છે. જો કે, કોમન એડમિશન ટેસ્ટ એટલે કે CAT એક્ઝામ (CAT Exam), આ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાનું વેઇટેજ પહેલા જેવું જ રહેશે. જાણો શું છે નવો નિયમ?

IIM અમદાવાદ MBA પ્રવેશ માટે ઉમેદવારોના શૈક્ષણિક રેટિંગની ગણતરી કરે છે. તેને ટૂંકા સ્વરૂપમાં AR સ્કોર પણ કહેવામાં આવે છે. આ સ્કોરની ગણતરી કરવા માટે, અગાઉ વિદ્યાર્થીઓના CAT સ્કોર અને સ્નાતકની ડિગ્રીમાં મેળવેલા ગુણની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ હવે તેમાં બેચલરના માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં.

IIM Ahmedabad AR Formula

ગ્રેજ્યુએશનને બદલે હવે IIM અમદાવાદ MBA એડમિશન 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાના માર્કસને વેઇટેજ આપશે. તેમજ કામના અનુભવને પણ વેઇટેજ મળશે. IIM અમદાવાદે જાહેરાત કરી છે કે, હવે AR સ્કોરને 10મા, 12માના માર્કસ અને કામના અનુભવને જોડીને 25 પોઈન્ટ સ્કેલ પર ગણવામાં આવશે. પ્રવેશ માટેના સંયુક્ત સ્કોરની ગણતરી CS = 0.35 X (pro rated AR score/35) + 0.65 X (normalized overall CAT score)

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શા માટે પ્રવેશ માપદંડ બદલાયા

IIM અમદાવાદનું કહેવું છે કે ‘કોવિડ-19ને કારણે ઘણી યુનિવર્સિટીઓએ છેલ્લા બે વર્ષમાં પરીક્ષાઓ લીધી નથી. સંસ્થાઓએ વૈકલ્પિક માપદંડોના આધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, CAT 2021 સમિતિએ પરીક્ષામાં બેસવા માટે લઘુત્તમ ગ્રેજ્યુએશન માર્ક્સની જરૂરિયાતને પણ નાબૂદ કરી દીધી હતી. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને, શોર્ટલિસ્ટિંગ માપદંડમાંથી સ્નાતકની ડિગ્રીના માર્ક્સ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે તમામ ઉમેદવારો પર સમાન રીતે લાગુ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article