AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12ની ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા 2 માર્ચથી શરૂ થઈ રહી છે. પરીક્ષા પહેલા, બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરી છે.

CBSE Term 2 Practical Exam Guideline: CBSE 10મી-12મી ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા માટેની માર્ગદર્શિકા થઈ જાહેર
Guidelines released for CBSE 10th-12th Term 2 Practical Examination
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:56 PM
Share

CBSE term 2 Practical exam 2022 instructions: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ 10 અને 12ની ટર્મ 2 પ્રેક્ટિકલ પરીક્ષા (CBSE Practical 2022) 2 માર્ચથી શરૂ થઈ રહી છે. પરીક્ષા પહેલા, બોર્ડે માર્ગદર્શિકા (CBSE Exam guidelines) જાહેર કરી છે. CBSE ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટેની માર્ગદર્શિકા જાહેર કરતાં બોર્ડે કહ્યું કે, શાળાઓએ પ્રેક્ટિકલની તૈયારી કરતી વખતે ટર્મ 1 અને ટર્મ 2ના વિભાજનને ધ્યાનમાં રાખવું પડશે. સીબીએસઈએ શાળાઓને 3 માર્ચથી પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ, ઈન્ટરનલ એસેસમેન્ટના માર્ક્સ એકસાથે અપલોડ કરવા કહ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, શાળાના માર્ક્સ યોગ્ય રીતે અપલોડ કરવા જોઈએ કારણ કે એકવાર અપલોડ કર્યા પછી તેને ફરીથી સુધારી શકાતું નથી.

કોરોના પ્રોટોકોલને (corona protocol) અનુસરવા માટે, CBSEએ શાળાઓને વિદ્યાર્થીઓના બેચને વિદ્યાર્થીઓના જૂથોમાં વહેંચવાનું સૂચન કર્યું જેથી ભીડ ન થાય. વિદ્યાર્થીઓનું પ્રથમ જૂથ લેબમાં ભાગ લઈ શકે છે જ્યારે બીજું જૂથ પેપર પર કામ કરી શકે છે. CBSEએ કહ્યું કે બોર્ડ દ્વારા ધોરણ 10 માટે કોઈ બાહ્ય પરીક્ષકની નિમણૂક કરવામાં આવશે નહીં. ખાનગી ઉમેદવારો માટે અલગથી કોઈ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે નહીં.

જો કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે, CBSE બાહ્ય પરીક્ષકની નિમણૂક કરશે. બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાઓની દેખરેખ રાખવા અને પરીક્ષાઓનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળાઓમાં સુપરવાઈઝરની નિમણૂક પણ કરી શકે છે.

માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો

શાળાઓએ તમામ વિષયોમાં પૂરતો અનુભવ અને કુશળતા ધરાવતા આંતરિક પરીક્ષકની નિમણૂક કરવાની રહેશે. CBSEએ વધુમાં જણાવ્યું હતું કે, નિષ્પક્ષ પરીક્ષા યોજવા માટે, જો વિદ્યાર્થીઓની સંખ્યા 20થી વધુ હોય તો એક દિવસમાં બે કે ત્રણ સત્રમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજવી જોઈએ. શાળાઓને એપ-લિંક પર પ્રેક્ટિકલ પરીક્ષાઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: BOB Recruitment 2022: બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: JEE mains Exam 2022: JEE Mainsની પરીક્ષા આ વર્ષે 4 નહીં પણ 2 વાર યોજાશે, જાણો શું આવ્યો બદલાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">