CBSE New Syllabus Update: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 9 થી 12 માટે નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. નવા અભ્યાસક્રમ (CBSE New Syllabus 2022) હેઠળ આ વખતે બોર્ડ દ્વારા ઘણા ચેપ્ટર દૂર કરવામાં આવ્યા છે. CBSEએ પ્રખ્યાત કવિ ફૈઝની બે કવિતાઓ અને મુગલ કોર્ટ જેવા જૂના પ્રકરણોને અભ્યાસક્રમમાંથી બાકાત કર્યા છે. બોર્ડે અભ્યાસક્રમનું ભારણ ઘટાડવાના સંદર્ભમાં આ ફેરફારો કર્યા છે. CBSE બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમને જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર જઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સત્ર 2022-23 માટે 9માથી 12માનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. CBSEના અભ્યાસક્રમમાં ઘણા મહત્વના પાઠ ઘટાડવામાં આવ્યા છે. બોર્ડે પુસ્તકોમાંથી ‘લોકશાહી અને વિવિધતા’ સંબંધિત પાઠો હટાવી દીધા છે. તેમાં 11મા ઇતિહાસ વિષયમાં સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સનો પણ સમાવેશ થાય છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોર્સમાં કરાયેલા ફેરફારો 2022-23ના શૈક્ષણિક સત્રમાં ફરી એક વખત સમાન ટર્મમાં બોર્ડની પરીક્ષા લેવા માટે કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. બદલાયેલા અભ્યાસક્રમમાં બિન-જોડાણવાદી ચળવળ, શીત યુદ્ધનો સમય, આફ્રો-એશિયન પ્રદેશોમાં ઇસ્લામિક સામ્રાજ્યોનો ઉદય, મુઘલ દરબારનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ જેવા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.
નવા અભ્યાસક્રમમાં, સીબીએસઈએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી શાયર ફૈઝ અહેમદ ફૈઝની કવિતા અને ધોરણ 11ના ઈતિહાસના પુસ્તકમાંથી ઈસ્લામની સ્થાપના, ઉદય અને વિસ્તરણની વાર્તા અને તેના શાસન અને વહીવટની કહાની કાઢી નાખી છે. 12ના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યના શાસન-પ્રશાસનનું પ્રકરણ બદલાયું છે.
આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
Published On - 12:35 pm, Mon, 25 April 22