AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? આજના સમયમાં રોકાણ માટે ઉપલબ્ધ છે આ વિકલ્પો

વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

World Savings Day: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ? આજના સમયમાં રોકાણ માટે ઉપલબ્ધ છે આ વિકલ્પો
Investment in SIP
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:39 PM
Share

વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. દેશના અર્થતંત્ર અને વ્યક્તિઓ માટે બચતના મહત્વને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે બચત એ વૈશ્વિક અર્થતંત્રની આવશ્યકતા છે અને દરેક થાપણદાર તેના વિકાસમાં ફાળો આપે છે.

શા માટે મનાવવામાં આવે છે વિશ્વ બચત દિવસ?

બેંક બચતના મહત્વને પ્રોત્સાહિત કરવા અને બેંકોમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે 30 ઓક્ટોબર 1924ના રોજ વિશ્વ બચત દિવસની (World Savings Day) શરૂઆત કરવામાં આવી હતી. તેની સ્થાપના ઈટાલીના મિલાનમાં 1લી ઈન્ટરનેશનલ સેવિંગ્સ બેન્ક કોંગ્રેસ (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેન્ક) દરમિયાન થઈ હતી.

તેનો હેતુ મુખ્યત્વે લોકોને નાણાં બચાવવાના મહત્વ વિશે જાગૃત કરવાનો હતો, કારણ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકોને બચત અંગે વિશ્વાસ ન હતો. બચત બેંકોએ પણ બચતને પ્રોત્સાહન આપવા માટે શાળાઓ, ઓફિસો, રમતગમત અને મહિલા સંગઠનો સાથે મળીને કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બચત દિવસ લોકપ્રિય બન્યો અને ત્યારથી વિશ્વ બચત દિવસ ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

બચતનું મહત્વ

હાલમાં કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. બેરોજગારીનો દર ઉંચો ગયો છે. ઘણા લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા હતા. ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી. કોરોના મહામારીમાં સપડાયેલા કેટલાય લોકો સારવારના ખર્ચનો બોજો સહન કરી શક્યા ન હતા અને તે લોકો ગરીબીમાં ધકેલાઈ ગયા.

જ્યારથી બેરોજગારીનો દર વધ્યો છે, ગરીબ લોકો માટે બચત કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે અને વિશ્વના ઘણા દેશોમાં ગરીબી વધારે છે. તેથી લોકોને પૈસા બચાવવા માટે શિક્ષિત કરવા જરૂરી છે કારણ કે તે બેરોજગારી, માંદગી, અપંગતા અથવા વૃદ્ધાવસ્થા દરમિયાન જીવન જીવવા માટેનો મહત્વનો આધાર બચત જ છે.

હાલના સમયમાં બચત માટેના વિકલ્પો

કોરોના મહામારી પછી લોકોને બચતનું મહત્વ સમજાયું છે પણ સામાન્ય લોકો માટે મુંઝવણ ઉભી થતી હોય છે કે બચત શેમાં કરવી જોઈએ. સામાન્ય રીતે વર્ષોથી એફ. ડીમાં  રોકાણ કરવું એ પ્રચલિત છે પણ હાલની મોંઘવારીનો દર અને થાપણ પર મળતા વ્યાજના દરને જોતા એફ.ડી. એટલો ફાયદાકારક વિકલ્પ નથી.

આ સિવાય પોસ્ટ ઓફિસની વિવિધ યોજના, એલઆઈસીની વિવિધ પોલીસી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં સારુ વળતર મળી રહ્યું છે. સરકાર પણ સોવરેન ગોલ્ડ જેવી વિવિધ યોજના દ્વારા બચતને સરળ બનાવી રહી છે. જે સારૂ વળતર આપી રહી છે.

આ પણ વાંચો :  આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">