SBIએ વ્યાજદરમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી SBIના એક વર્ષની લોન પર MCLR 8.5%થી ઘટી 8.45% થઇ ગયો છે. આ ઘટાડો દરેક સમયગાળાની લોન પરના વ્યાજદર પર લાગુ પડશે જે શુક્રવારથી જ લાગુ થયું છે. આનો મતલબ એ થાય છે કે જો તમે હોમ લોન લેવા માટે જાઓ છો તો તમને પહેલા કરતા 0.05% સસ્તા વ્યાજદર પર લોન મળશે. તેવી જ રીતે તમે જો SBIના જૂના ગ્રાહક છો અને તમને હાલ 8.50%ના વ્યાજદરથી હોમ લોનના EMI ભરો છો તો તેમાં હવે 0.05%ની રાહત મળશે.
એક મહિનામાં બીજી વખત એવુ બન્યું કે SBIએ વ્યાજદરમાં ઘટાડો કર્યો, MCLRમાં કરેલા ઘટાડા બાદ 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં 0.15%નો ઘટાડો થયો છે. 1 મેથી SBIએ વ્યાજદરના નિયમોમાં ફેરફાર કર્યો છે જે મુજબ લોન અને ડિપોઝીટના વ્યાજદરને RBIના રેપો રેટ સાથે જોડી દીધો છે. આમ, હવે RBIના રેપો રેટમાં થતા ફેરફારની અસર સીધી જ લોન અને ડિપોઝીટના વ્યાજદર પર થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]