કેમ અડધાથી પણ ઓછી થઈ ગઈ ટ્વિટરની માર્કેટ વેલ્યુ ? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન !

રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મસ્કે ટ્વિટરના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. જેમાં મસ્કે આ માહિતી આપી છે. જો કે, આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જ્યારે મસ્કે ટ્વિટર ખરીદ્યું, ત્યારે ઘણા ટોચના જાહેરાતકર્તાઓએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ખર્ચમાં ઘટાડો કર્યો હતો

કેમ અડધાથી પણ ઓછી થઈ ગઈ ટ્વિટરની માર્કેટ વેલ્યુ ? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન !
Twitter market value has halved
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:44 AM

એલોન મસ્કને એક સમયે બિઝનેસ જગતના પારસ કહેવામાં આવતા હતા, તેનું એક કારણ હતું, તે જે પણ સ્પર્શ કરે છે તે સોનામાં ફેરવાઈ જાય છે. ટ્વિટર બાદ હવે આ ધારણામાં ઘટાડો થયો છે. હવે જે નવી વાત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કના હાથમાં આવી છે, ત્યારથી તેની કિંમત 50 ટકાથી વધુ ઘટી ગઈ છે. આ વાતનો ખુલાસો ખુદ ઈલોન મસ્કે કર્યો છે.

ટ્વિટરનું મૂલ્ય $44 બિલિયનથી ઘટીને $20 બિલિયન પર

એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. જે બાદ કંપનીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. ત્યારથી અત્યાર સુધી આ કંપનીની કિંમત અડધાથી પણ ઓછી રહી છે. એલોન મસ્ક પોતે આ વિશે માહિતી આપી છે. તેણે કહ્યું છે કે ટ્વિટરનું મૂલ્ય $20 બિલિયન થયું છે. આનો અર્થ એ થયો કે તેના મૂલ્યાંકનમાં $24 બિલિયનનો ઘટાડો થયો છે. હવે એલન મસ્ક આ મૂલ્યાંકન પર કર્મચારીઓને સ્ટોક ગ્રાન્ટ આપવા માંગે છે.

રોઇટર્સના રિપોર્ટ અનુસાર, મસ્કે ટ્વિટરના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. જેમાં મસ્કે આ માહિતી આપી છે. જો કે, આ અંગે ટ્વિટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જ્યારે મસ્કે ટ્વિટર ખરીદ્યું, ત્યારે ઘણા ટોચના જાહેરાતકર્તાઓએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ખર્ચમાં ઘટાડો કર્યો હતો. મસ્કે પ્રતિ શેર $54.20ના ભાવે ટ્વિટર હસ્તગત કર્યું. બાય ધ વે, આ ડીલમાં પણ ઘણો વિવાદ થયો હતો. મસ્ક અગાઉ ડીલમાંથી બહાર નીકળી ગયો હતો, મામલો કોર્ટમાં ગયો હતો અને મસ્કને ડીલ ફાઇનલ કરવી પડી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મસ્કની ફેરફાર નીતિથી માર્કેટ વેલ્યુ થઈ ડાઉન!

ઈલોન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા છે. પહેલા તેણે ટ્વિટરની ટોપ લાઇનને બહારનો રસ્તો બતાવ્યો હતો. જેમાં પરાગ અગ્રવાલનું નામ પણ સામેલ હતું. જે જેક ડોર્સી પછી બનાવવામાં આવ્યા હતા. જે બાદ કંપનીના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની સંખ્યા ઘટાડીને 7 હજારથી ઓછી કરવાની વાત થઈ હતી. ટ્વિટર વેરિફાઈડ સિસ્ટમમાં પણ ફેરફાર જોવા મળ્યા છે.

વિશ્વના અનેક ધનિક ઉદ્યોગપતિઓને નુકસાન

ટ્વિટર ડીલને કારણે ઈલોન મસ્કની નેટવર્થને ઘણું નુકસાન થયું છે, આ વાત કોઈનાથી છુપી નથી. વર્ષ 2022માં તેણે વિશ્વના સૌથી અમીર બનવાનો તાજ પણ ગુમાવ્યો હતો. જો આપણે વર્ષ 2023 ની વાત કરીએ તો તેની નેટવર્થ ઘણી હદ સુધી રિકવર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની કુલ સંપત્તિ $176 બિલિયન છે. આ વર્ષે તેની નેટવર્થમાં $38.8 બિલિયનનો વધારો થયો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">