ફ્રીજ, ટીવી, ACની વોરંટી અંગે આવી રહ્યા છે નવા નિયમો, જાણો સંપૂર્ણ વિગત

|

Jun 24, 2024 | 4:36 PM

સરકાર ફ્રીજ, ટીવી, AC જેવા ઉપકરણોની વોરંટી માટે નવા નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. વોરંટી તારીખોને લઈને વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે કંપનીઓ પર કડકાઈ શરૂ કરી છે. સરકારે નિયમોને સરળ બનાવીને વોરંટીની તારીખ બદલવાનું સૂચન કર્યું છે.

ફ્રીજ, ટીવી, ACની વોરંટી અંગે આવી રહ્યા છે નવા નિયમો, જાણો સંપૂર્ણ વિગત
AC, TV, Fridge

Follow us on

જો તમે પણ ફ્રિજ, ટીવી અને AC સહિત ઘર વપરાશ માટેના તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોની વોરંટી અંગે ચિંતિત અને મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર આ સામાનની વોરંટી માટે નવા નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. વોરંટી તારીખોને લઈને વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે કંપનીઓ પર કડકાઈ શરૂ કરી છે. સરકારે નિયમોને સરળ બનાવીને વોરંટીની તારીખ બદલવાનું સૂચન કર્યું છે.

કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે સૂચન કર્યું છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણની વોરંટી પિરિયડ ખરીદીની તારીખને બદલે તે ઇન્સ્ટોલ થયાના દિવસથી શરૂ થાય. આ સંબંધમાં મંત્રાલયે કંપનીઓને 15 દિવસની અંદર પોતાનો અભિપ્રાય મોકલવા માટે કહ્યું છે.

વોરંટી પિરિયડ ક્યારે શરૂ થશે ?

મંત્રાલય હેઠળ કામ કરતી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ પણ કંપનીઓ સાથે બેઠક કરી છે. કન્ઝ્યુમર અફેર્સના સચિવ અને CCPA ચીફ કમિશનર નિધિ ખરેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રિલાયન્સ રિટેલ, એલજી, પેનાસોનિક, હાયર, ક્રોમા અને બોશ સહિતની મુખ્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો કંપનીઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

મીટિંગમાં એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે કંપનીઓ ખરીદીની તારીખથી વોરંટી સમયગાળો ગણે છે, જ્યારે ગ્રાહકના ઘરે તે વસ્તુ બાદમાં ઇન્સ્ટોલ થાય છે. આવી સ્થિતિમાં વોરંટી સમયગાળો તે દિવસથી ગણવો જોઈએ જે દિવસે સાધનસામગ્રીનો ઉપયોગ શરૂ થાય છે કારણ કે ગ્રાહક ઇન્સ્ટોલેશન પછી જ તેનો ઉપયોગ કરી શકે છે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. આયર્ન પ્રેસ, માઇક્રોવેવ વગેરે જેવા ઉપકરણો છે જેને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી અને ગ્રાહકો તેને ખરીદે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પરંતુ એસી અથવા ફ્રિજ જેવા ઉપકરણોને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એસી અને રેફ્રિજરેટરની વોરંટી અવધિ તેના ઇન્સ્ટોલેશનથી શરૂ થવી જોઈએ.

ગ્રાહક સુરક્ષા કાયદો શું કહે છે ?

ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2(9) જણાવે છે કે ગ્રાહકોને માલ, ઉત્પાદનો અથવા સેવાઓની ગુણવત્તા, જથ્થા, શુદ્ધતા, ધોરણ અને કિંમત વિશે માહિતગાર કરવાનો અધિકાર છે.

Next Article