AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર

તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.

તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર
બેંકના આ નિયમો જાણવા જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 9:56 AM
Share

પ્રધાનમંત્રી જન ધન યોજના(pradhan mantri jan dhan yojana) શરૂ થઈ ત્યારથી દેશના લગભગ દરેક પરિવાર પાસે પોતાનું બેંક ખાતું(Bank Account) છે. ઘણા લોકો પાસે એક કરતા વધુ બેંક ખાતા પણ છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ ઘણા લોકો બેંક ખાતાની સાથે ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા પણ લે છે. તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. અહેવાલ દ્વારા જાણો કે ક્યાં કારણોથી બેંક વ્યક્તિનું ખાતું બંધ કરી શકે છે

 બે વર્ષ સુધી ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન થવાના કિસ્સામાં

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર જો કોઈ બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો તે ખાતાને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે. બેંક આવા ખાતાને નિષ્ક્રિય યાદીમાં મૂકે છે. આ પ્રકારના ખાતામાં જમા કરવામાં આવેલા પૈસા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી.

બેંક ખાતામાં KYC અપડેટ ન કરવા બદલ

જો ગ્રાહક તેના ખાતા પર KYC અપડેટ ન કરે તો ખાતું બંધ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર દરેક ખાતાધારકે દર ત્રણ વર્ષે એકવાર KYC અપડેટ કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે બેંક ખાતાધારકનું ખાતું ફ્રીઝ કરી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.

કોઈપણ પુરાવા વગર ખાતામાં પૈસા મળવા પર

જો કોઈ સ્ત્રોતની યોગ્ય જાણકારી વગર ખાતાધારકના ખાતામાં મોટી રકમ આવે છે તો આવી સ્થિતિમાં ખાતાધારકને ફ્રીઝ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અચાનક કોઈના ખાતામાં 10 કરોડ રૂપિયા આવી જાય છે જેના સ્ત્રોતની તેની પાસે સાચી માહિતી નથી. તો આવી સ્થિતિમાં બેંક પાસે આવા ખાતાને ફ્રીઝ કરવાનો અધિકાર છે.

કોઈપણ શંકાસ્પદ અથવા ખોટા વ્યવહારના કિસ્સામાં

જો કોઈ ખાતાધારકના ખાતામાંથી કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય અથવા વિદેશી ખાતામાંથી તેના ખાતામાં પૈસા આવ્યા હોય તો આવી સ્થિતિમાં ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર

આ પણ વાંચો : રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">