મોંઘવારી સામે રાહત મળશે, RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યું કારણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઓક્ટોબર માટે ફુગાવાનો આંકડો 7 ટકાથી નીચે રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે 2થી 6 ટકાના ફુગાવાના લક્ષ્યાંકને બદલવાની જરૂર નથી.

મોંઘવારી સામે રાહત મળશે, RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યું કારણ
RBI Governor Shaktikanta Das
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 5:49 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે જણાવ્યું હતું કે ઓક્ટોબર માટે ફુગાવાનો આંકડો 7 ટકાથી ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે 2 થી 6 ટકાના ફુગાવાના લક્ષ્યાંકને બદલવાની જરૂર નથી. જો કે તેને બદલવાની ઘણી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય બેંકના ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતના એકંદર સૂક્ષ્મ આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત છે. તેમણે કહ્યું કે સરકાર અને રિઝર્વ બેંક બંને ફુગાવાના પડકારનો અસરકારક રીતે સામનો કરી રહ્યા છે.

આ વર્ષે દેશની આર્થિક વૃદ્ધિ 7% રહેશે: ગવર્નર દાસ

દેશના આર્થિક વિકાસ પર બોલતા દાસે કહ્યું કે ઘરેલું અર્થતંત્ર મજબૂત છે અને કેન્દ્રીય બેંકનો અંદાજ છે કે આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ 7 ટકા રહેશે. દાસે એમ પણ કહ્યું કે બેન્કિંગ સેક્ટર સ્થિર રહ્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં વૃદ્ધિના આંકડા સારા દેખાઈ રહ્યા છે. તેમનો અંદાજ છે કે ભારત લગભગ સાત ટકાના દરે વૃદ્ધિ પામશે.

આરબીઆઈના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે આઈએમએફએ આગાહી કરી છે કે વર્તમાન વર્ષમાં ભારત 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે અને તે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન આપે છે. તેમણે કહ્યું કે આખી દુનિયાએ કોવિડ-19 મહામારીના ત્રણ લહેર સહન કરી છે, યુક્રેન- રશિયા યુદ્ધ અને હવે નાણાકીય બજારમાં અસ્થિરતા અને બાકીની અસરો ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ અનુભવી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આરબીઆઈના ગવર્નરે ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી જણાવી

દાસે એમ પણ કહ્યું કે આખું યુરોપિયન યુનિયન આજે મંદીની આરે ઊભું છે. તેમણે કહ્યું કે અમેરિકા હજુ પણ સ્થિર છે. અન્ય દેશોમાં પણ વૃદ્ધિ ધીમી પડી છે. આરબીઆઈ ગવર્નરના મતે, જ્યાં સુધી ભારતનો સંબંધ છે, માઇક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, નાણાકીય ક્ષેત્રની સ્થિરતા, આ બધી બાબતો મજબૂત રહે છે.

મોંઘવારી પર બોલતા દાસે એમ પણ કહ્યું કે તે ચિંતાનો વિષય છે, જેના માટે કેન્દ્રીય બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. તેમનું કહેવું છે કે આરબીઆઈની આંતરિક સમિતિએ વિગતવાર વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે ફુગાવાનો લક્ષ્યાંક 2 ટકાના પ્રાઇસ બેન્ડ સાથે 4 ટકા રાખવો જોઈએ.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">