એમેઝોન-ફ્યુચર વિવાદમાં આવ્યો વળાંક, જાણો આ મામલે શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) ફ્યુચર રિટેલ લિમિટેડ (Future Retail Limited) અને રિલાયન્સ રિટેલ(Reliance રેટાઇલ) વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં સ્થિતિ યથાવત રાખવા મંગળવારે નિર્દેશ આપ્યો છે.

એમેઝોન-ફ્યુચર વિવાદમાં આવ્યો વળાંક, જાણો આ મામલે શું કહ્યું દિલ્હી હાઈકોર્ટે
File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 8:18 AM

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) ફ્યુચર રિટેલ લિમિટેડ (Future Retail Limited) અને રિલાયન્સ રિટેલ(Reliance Retail) વચ્ચેના 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં સ્થિતિ યથાવત રાખવા મંગળવારે નિર્દેશ આપ્યો છે. યુએસની ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) એ આ સોદા સામે વાંધો ઉઠાવ્યો છે.

ન્યાયાધીશ જે આર મીધાએ કહ્યું છે કે એમેઝોનના અધિકારોની રક્ષા માટે તાત્કાલિક વચગાળાના ઓર્ડર પસાર કરવાની જરૂર છે. ન્યાયાધીશે કહ્યું , “પ્રતિવાદીઓને (FRL)ને નિર્દેશ આપવામાં આવે છે કે સુરક્ષિત હુકમની ઘોષણા થાય ત્યાં સુધી સાંજ 4:49 વાગ્યા સુધીની સ્થિતિ યથાવત રાખવામાં આવે. અમેઝોન આ સોદા સામે સિંગાપુરના આપાતકાલીન પંચાટ મંચના વચગાળાના આદેશને લાગુ કરાવવા માટે હાઇકોર્ટમાં પહોંચ્યું હતું. પંચાટએ સોદા ઉપર રોક લગાવવા વચગાળાનો આદેશ કર્યો હતો.

રિપોર્ટ ફાઇલ કરવા માટે 10 દિવસનો સમય આ કેસની સતત ચાર દિવસ સુનાવણી કર્યા પછી હાઇકોર્ટે મુખ્ય અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે સિંગાપોર આર્બિટ્રેશનના હુકમની વિરુદ્ધ એવા કેસોના સંદર્ભમાં યથાવત્ સ્થિતિ જાળવવા અન્ય તમામ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ અધિકારીઓને વર્તમાન સ્થિતિ અહેવાલ ફાઇલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હાઈકોર્ટે વચગાળાના આદેશ આપતા કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇમર્જન્સી આર્બિટ્રેશન મનસ્વી નિર્ણય માટેનું મંચ છે અને તેણે FRL સામે યોગ્ય પગલાં લીધાં છે. કોર્ટે કહ્યું, તે સ્પષ્ટ હતું કે આર્બિટ્રેશન અને સમાધાન અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ આપાતકાલીન મધ્યસ્થીના 25 ઓક્ટોબર 2020 નો આદેશ અમલી છે અને તેમની વિરુદ્ધ અપીલ પણ કરી શકાય છે.

ફ્યુચર રિટેલ લિમિટેડ(FRL)ને એફિડેવિટ ફાઇલ કરવાના આદેશ અપાયો હાઈકોર્ટે FRLને 25 ઓક્ટોબર 2020 થી રિલાયન્સ સાથેના કરારના સંબંધમાં તેના દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે અગાઉ એમેઝોનની અરજી પર એફઆરએલ, ફ્યુચર કુપન્સ પ્રાઈવેટ લિમિટેડ (એફસીપીએલ), બિયાનીસ અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી હતી અને જવાબ માંગ્યો હતો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">