AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council Meeting : લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ, GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

GST બેઠકમાં GST કાઉન્સિલ તરફથી લિકર કંપનીઓને રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, GST કાઉન્સિલ લિકર ઉદ્યોગને સ્પષ્ટતા આપવા માટે મોલાસીસ પર GST 28% થી ઘટાડીને 5% કરવા પર વિચાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કાઉન્સિલ ENA (એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ) પરના કરવેરા અંગે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગોને સ્પષ્ટતા આપી શકે છે. કાઉન્સિલનો વપરાશ માટે આલ્કોહોલિક દારૂના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ENA પર કર લાદવાનો પણ કોઈ ઈરાદો નથી.

GST Council Meeting : લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ, GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય
GST Council meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 10:38 AM
Share

GST કાઉન્સિલની આજે 52મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં લિકરની કંપનીઓને GST મોરચે રાહત મળવાની આશા છે. ત્યારે બાજરીના ઉત્પાદનો પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આજે યોજાનાર બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

મળતી માહિતી મુજબ GST વિભાગની યોજાનારી આ મીટિંગ કેટલીક કંપનીઓ માટે ખરાબ સમાચાર લાવી શકે છે. લોનના બદલામાં ઓફર કરવામાં આવતી કોર્પોરેટ અને બોન્ડ ગેરંટી પર GST લાદવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

જીએસટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે

  • શનિવારના રોજ મળનારી GST બેઠકમાં GST કાઉન્સિલ તરફથી લિકર કંપનીઓને રાહત મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, GST કાઉન્સિલ લિકર ઉદ્યોગને સ્પષ્ટતા આપવા માટે મોલાસીસ પર GST 28% થી ઘટાડીને 5% કરવા પર વિચાર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કાઉન્સિલ ENA (એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ) પરના કરવેરા અંગે કેન્દ્ર, રાજ્યો અને ઉદ્યોગોને સ્પષ્ટતા આપી શકે છે. કાઉન્સિલનો વપરાશ માટે આલ્કોહોલિક દારૂના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ENA પર કર લાદવાનો પણ કોઈ ઈરાદો નથી.
  • આ સિવાય બાજરી એટલે કે બરછટ અનાજ પર જીએસટીના દરમાં ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. બરછટ અનાજ,જેના ઉત્પાદન માટે વધારે મહેનતની જરૂર નથી. આ અનાજ ઓછા પાણી અને ઓછી ફળદ્રુપ જમીનમાં પણ ઉગી નીકળે છે. ડાંગર અને ઘઉંની તુલનામાં, બરછટ અનાજના ઉત્પાદનમાં પાણીનો વપરાશ ઘણો ઓછો છે. તેની ખેતીમાં યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની જરૂર નથી. તેથી આ ઘણા કારણોસર વધુ સારી માનવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો પણ મળે છે.
  • લોનના બદલામાં કંપનીઓને આપવામાં આવતી કોર્પોરેટ ગેરંટી પર GST લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. આ GST કોર્પોરેટ ગેરંટી અથવા બોન્ડના 1% પર 18% હશે.
  • ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પરના જીએસટી દરો અંગે સ્પષ્ટતા આવી શકે છે.સ્પષ્ટતાના અભાવે રાજ્યોએ એલઆઈસી સહિત ઘણી વીમા કંપનીઓને જીએસટી નોટિસ મોકલી છે.

આ એજન્ડાને બેઠકમાં સામેલ કરવામાં આવ્યો હતો

  • જીએસટી કાઉન્સિલ સ્ટીલ સ્ક્રેપ પર રિવર્સ ચાર્જીસ મિકેનિઝમ લાગુ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે.
  • કાઉન્સિલ જાહેરાત સેવાઓ, ડેટા સેન્ટર, મેઇલ અને કુરિયર સેવાઓના કિસ્સામાં વિગતવાર સમજૂતી આપી શકે છે.
  • કાઉન્સિલ જાહેર ઉદ્યાનો અને લૉનની જાળવણી માટે કોન્ટ્રાક્ટ પર પૂરી પાડવામાં આવતી ગાર્ડનિંગ સેવાઓ પર GSTમાંથી મુક્તિ આપવાનું પણ વિચારી રહી છે.
  • 15 વર્ષની પ્રેક્ટિસ ધરાવતા વકીલોને GST ટ્રિબ્યુનલમાં ન્યાયતંત્રના સભ્યો અને એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે લાયક બનવાની મંજૂરી આપવા માટે, ઉચ્ચ વય મર્યાદા 63 થી વધારીને 67 વર્ષ કરવામાં આવી શકે છે.
  • બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">