ટેલિકોમ જગતમાં છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનના પેકઅપ થવાની ચર્ચા વધી રહી છે. ચર્ચા અનુસાર વોડાફોન કોઈપણ સમયે ભારતમાંથી પોતાનું કામકાજ બંધ કરી શકે છે. જો કે આ અંગે કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
કોઈપણ સમયે બંધ થઈ શકે છે કંપની!
વોડાફોન પોતાના કારોબારમાં નુકસાન કરી રહી છે. જેને લઈ ભારતમાં પોતાનું સંચાલન બંધ કરી શકે છે. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વોડાફોન કોઈપણ સમયે આ નિર્ણય લઈ શકે છે. તો સાથે કંપની પોતાની લોનની ચૂકવણી પણ સમયસર કરી દેશે તેવું નિવેદન અધિકારીઓ તરફથી આવ્યું છે.
હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા LGR પર દેવામાં આવેલા નિર્ણય પછી વોડાફોન-આઈડિયાને ત્રણ મહિનામાં 28,309 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો