સીરમ ઇન્સ્ટીટયુટ કોરોના વેક્સીનથી બીમાર પડવાનો દાવો કરનાર સામે 100 કરોડની માનહાનીનો કેસ કરશે

|

Nov 30, 2020 | 10:25 AM

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશિલ્ડ કોરોનાવાયરસ વેક્સીન પરીક્ષણના એક  વોલેન્ટિયર વિરુદ્ધ 100 કરોડની માનહાનિનો કેસ  તૈયાર કરી રહ્યું  છે. વોલેન્ટિયરે વેક્સીન ડોઝ લીધા પછી વર્ચ્યુઅલાઈઝેશન ન્યુરોલોજીકલ બ્રેકડાઉનના દાવા કર્યા હતા.  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સ્વયંસેવકની તબીબી સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસી પરીક્ષણની આ  સ્થિતિ સાથે કોઈ […]

સીરમ ઇન્સ્ટીટયુટ કોરોના વેક્સીનથી બીમાર પડવાનો દાવો કરનાર સામે 100 કરોડની માનહાનીનો કેસ કરશે

Follow us on

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશિલ્ડ કોરોનાવાયરસ વેક્સીન પરીક્ષણના એક  વોલેન્ટિયર વિરુદ્ધ 100 કરોડની માનહાનિનો કેસ  તૈયાર કરી રહ્યું  છે. વોલેન્ટિયરે વેક્સીન ડોઝ લીધા પછી વર્ચ્યુઅલાઈઝેશન ન્યુરોલોજીકલ બ્રેકડાઉનના દાવા કર્યા હતા.  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સ્વયંસેવકની તબીબી સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસી પરીક્ષણની આ  સ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે,નોટિસમાં લગાયેલા આક્ષેપો દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે.  તે વ્યક્તિની તબીબી સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, પરંતુ રસી પરીક્ષણની તેની સ્થિતિ સાથે કોઈ લેવા-દેવા નથી. તે વ્યક્તિ ખોટી રીતે તેની આરોગ્ય સમસ્યાઓ માટે રસીને જવાબદાર ઠેરવે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ચેન્નાઇમાં કોવિડશિલ્ડમાં પરીક્ષણમાં  ભાગ લેનારા 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો કે તેને ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યા અને જ્ઞાનેન્દ્રી સંબંધિત સમસ્યા સહિત ગંભીર આડઅસરોનો સામનો કરવો પડ્યો છે. આ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય લોકો પાસેથી પાંચ કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે. તેણે પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટે કહ્યું છે કે તે આવા આરોપો સામે પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપ માટે 100 કરોડ રૂપિયા સુધીની માનહાનિનો દાવો કરી શકે છે. પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ  ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોવિડ -19 રસી કોવિશિલ્ડ બનાવવામાં આવી રહી છે. સીરમ સંસ્થા પણ આ રસીનું ભારતમાં પરીક્ષણ કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article