SEBI એ GoAir IPO 90 દિવસ માટે અટકાવ્યો , જાણો શું છે કારણ ?

|

Jun 29, 2021 | 7:56 AM

સેબી વેબસાઇટએ સોમવારે જાહેર કર્યું છે કે હવે GoFirst નામથી GoAir દ્વારા રજૂ કરાયેલ IPO હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

SEBI એ GoAir IPO 90 દિવસ માટે અટકાવ્યો  , જાણો શું છે કારણ ?
GOAIR IPO

Follow us on

બોમ્બે ડાઇંગ(Bombay Dyeing) મેન્યુફેક્ચરીંગ કંપની લિમિટેડ અને તેના પ્રમોટર્સ વાડિયા(Wadia) વિરુદ્ધ પેન્ડિંગ તપાસને કારણે Go Airlines (India)લિમિટેડની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ અસ્થાયીરૂપે અટકાવી દીધી છે.

સેબી વેબસાઇટએ સોમવારે જાહેર કર્યું છે કે હવે GoFirst નામથી GoAir દ્વારા રજૂ કરાયેલ IPO હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

બોમ્બે ડાઇંગ અને તેના પ્રમોટર્સને કથિત ગેરરીતિ બદલ જૂનના પહેલા અઠવાડિયામાં નિયમનકારના કોર્પોરેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિગેશન વિભાગ (CFID) તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું.CFID લિસ્ટેડ કંપનીઓમાં છેતરપિંડી, ડાયવર્ઝન અથવા ભંડોળની ઉંચાપત અંગે પ્રારંભિક અને વિગતવાર તપાસ કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

GoAir એ 13 મી મેના રોજ નવા શેર વેચાણ દ્વારા 3,600 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો. બોમ્બે ડાઇંગના અધ્યક્ષ નુસલી વાડિયા અને પ્રમોટર સંસ્થાઓની હિસ્સેદારી 96.85 ટકા છે.

“સેબીની આંતરિક નીતિ મુજબ જો નિયમનકારનો એક વિભાગ કોઈ કેસની તપાસ કરે છે તો DRHP માટે અરજી કરનાર સંબંધિત કંપનીને 90 દિવસ સુધી મંજૂરી મળી શકે નહીં , જે વધુ 45 દિવસ સુધી લંબાવી શકે છે,” આ માહિતી ક્ષેત્રના જાણકારો દ્વારા અપાઈ છે.

GoAirના પ્રવક્તાએ મામલે કહ્યું હતું કે કંપનીને “સેબી તરફથી કોઈ જાણકારી મળી નથી.”
બોમ્બે ડાઇંગે કહ્યું: “કંપનીની પોલિસી અનુસાર અમે આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.”

GoAir એવા સમયે નાણાં એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જ્યારે ઉડ્ડયન ઉદ્યોગ તેના સૌથી કપરા પડકારનો સામનો કરી રહ્યો છે. જોકે, COVID-19 પહેલા પણ કંપનીને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ડીઆરએચપી મુજબ કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષથી નુકસાન કર્યું હતું. 31 ડિસેમ્બર, 2020 ના અંતે કંપનીનું રૂ 7346 કરોડનું દેવું હતું અને 1,961 કરોડનું નેગેટિવ નેટવર્થ હતું. કંપની આઈપીઓના પૈસાનો ઉપયોગ દેવું ચુકવવા સહિતના ઉપયોગ માટે કરવા માંગે છે.

Published On - 7:53 am, Tue, 29 June 21

Next Article