Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા હવે સરળ બનાવી દીધી છે. જો કે, આ પ્રક્રિયાથી કોને લાભ થશે, તે જાણવું મહત્ત્વપૂર્ણ છે.

Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો
| Updated on: Nov 05, 2025 | 3:46 PM

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ બનાવી દીધી છે. ટૂંકમાં કહીએ તો, રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી શકે છે. બીજું કે, જ્યારે તેઓ પુખ્ત વયના થાય છે, ત્યારે તેઓ સગીરને સંયુક્ત ખાતા (Joint Account) માં પણ જોડી શકે છે.

કોના માટે ખાસ છે આ સુવિધા?

આ સુવિધા મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં ઉપલબ્ધ છે પરંતુ આ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ છે, જેમના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ તેમના સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટમાં લિસ્ટેડ છે. સગીર (Minor) ના ફોલિયો અથવા તેમાં યુનિટ્સ ટ્રાન્સફર કરવાનું શક્ય નથી.

આ સાથે જ ટ્રાન્સફરને કારણે કેપિટલ ગેઈન ટેક્સ ધ્યાનમાં લેવો મહત્વપૂર્ણ બની જાય છે. ઇક્વિટી ફંડ્સ પર ટૂંકા ગાળાના લાભ પર 15 ટકા અને લાંબા ગાળાના લાભ પર 10 ટકા ટેક્સ લાદવામાં આવી શકે છે.

સગીરો માટેના નિયમો

સગીર ફક્ત પોતાના નામે યુનિટ્સ રાખી શકે છે. જો કે, જ્યારે તેઓ 18 વર્ષના થાય છે અને તેમનો ફોલિયો ‘માઇનોર’ થી ‘મેજર’ માં બદલાય છે, ત્યારે તેઓ તેમના ફોલિયોમાં માતા-પિતા અથવા ભાઈ-બહેન જેવા સંયુક્ત ખાતા ધારક (Joint Account Holders) ને ઉમેરી શકે છે.

ટ્રાન્સફર કેવી રીતે કરવું

ટ્રાન્સફર ફક્ત RTA વેબસાઇટ્સ (જેમ કે CAMS, KFintech અથવા MF Central) ની મુલાકાત લઈને જ કરી શકાય છે. ટ્રાન્સફર કરનારે પોતાના PAN વડે લોગ ઇન કરવું પડશે, સ્કીમ પસંદ કરવી પડશે અને ટ્રાન્સફર કરવાના ખાતાની વિગતો દાખલ કરવી પડશે. બધા યુનિટ ધારકોની સંમતિથી OTP દ્વારા મેળવવામાં આવશે.

આ શરતો ધ્યાનમાં રાખજો:

  1. ટ્રાન્સફર કરવામાં આવી રહેલા યુનિટ્સ કોઈપણ પ્રકારના મોર્ટગેજ ફ્રીઝ અથવા લોક-ઇન હેઠળ ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ટેક્સ-સેવિંગ સ્કીમમાં હોય અને ત્રણ વર્ષનો લોક-ઇન પીરિયડ પૂરો થયો ન હોય, તો તમે તેને ટ્રાન્સફર કરી શકતા નથી.
  2. ટ્રાન્સફર કરનાર અને ટ્રાન્સફર મેળવનાર બંને પાસે એક જ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સાથેનો માન્ય ફોલિયો હોવો જોઈએ. જો ટ્રાન્સફર મેળવનાર વ્યક્તિ પાસે તે ફંડ હાઉસમાં પહેલાથી જ ફોલિયો નથી, તો તેણે ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરતા પહેલા ‘ઝીરો બેલેન્સ ફોલિયો’ ખોલવો પડશે. વધુમાં, બંને પક્ષોના KYC માન્ય અને ચકાસાયેલ (Verified) હોવા જોઈએ.
  3. ટ્રાન્સફર પછી તરત જ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ વેચી શકાતા નથી. જણાવી દઈએ કે, આ યુનિટ્સ ટ્રાન્સફરની તારીખથી 10 દિવસ સુધી રિડીમ કરી શકાશે નહીં. આ એક પ્રકારનો કૂલિંગ-ઓફ સમયગાળો છે, જે કોઈપણ ઉતાવળ અથવા દુરુપયોગને રોકવામાં મદદ કરશે.

શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

Published On - 3:45 pm, Wed, 5 November 25