Sabka Sapna Money Money: જોબ સેલેરીની સાથે એકસ્ટ્રા ઇન્કમ પણ મેળવવા માગો છો ? આ યોજનાથી એકત્ર કરી શકશો ફંડ

Mutual Fund : નોકરિયાત વર્ગની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ તેમને મોટી રકમની જરૂર પડે છે ત્યારે તેમને કોઈ સંબંધી પાસેથી લોન લેવી પડે છે અથવા તો બેંકમાંથી વ્યક્તિગત લોન લેવી પડે છે. કારણ કે તેમને એક મહિના સુધી પગારની (Salary) રાહ જોવી પડે છે અને પછી ખાતામાં જમા થતાં નાણાંથી થોડા દિવસોમાં તમામ ખર્ચો કરી નાખે છે.

Sabka Sapna Money Money:  જોબ સેલેરીની સાથે એકસ્ટ્રા ઇન્કમ પણ મેળવવા માગો છો ? આ યોજનાથી એકત્ર કરી શકશો ફંડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 5:53 PM

Mutual Fund : નોકરિયાત વર્ગની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ તેમને મોટી રકમની જરૂર પડે છે ત્યારે તેમને કોઈ સંબંધી પાસેથી લોન લેવી પડે છે અથવા તો બેંકમાંથી વ્યક્તિગત લોન લેવી પડે છે. કારણ કે તેમને એક મહિના સુધી પગારની (Salary) રાહ જોવી પડે છે અને પછી ખાતામાં જમા થતાં નાણાંથી થોડા દિવસોમાં તમામ ખર્ચો કરી નાખે છે.

આ પણ વાંચો-Ahmedabad : અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, કેસ કાઢવામાં વધુ સમય લાગતા દર્દીઓની લાગી કતારો, જુઓ Video

કેવી રીતે મેળવશો એક્સ્ટ્રા આવક ?

જો તમને કોઇ કહે કે તમે તમારા પગાર કરતાં અલગથી વધુ કમાણી કરી શકો છો અથવા એમ કહેવામાં આવે કે તમારે પગારને અડવાનો પણ નહીં, કારણ કે દર મહિને તમે અન્ય સ્ત્રોતોમાંથી પગારની સમાન કમાણી કરી શકો છો. તો તમને થશે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બને? તેની પાછળ એક ગણિત છે. જો તમે ખાનગી નોકરી કરો છો તો તમારા માટે આ ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

તમે તમારા પગાર જેટલી અલગ આવક મેળવી શકો છો. અમે તમને આ ફોર્મ્યુલા સમજાવીએ તો, તમારો પગાર દર મહિને રૂપિયા 30 હજાર છે અને તમે દર મહિને રૂપિયા 30 હજારની અલગથી આવક મેળવવા માગો છો.તો સૌ પ્રથમ તમારે તમારા પગારના 30 ટકા રોકાણ કરવું પડશે.

જે દર મહિને 9 હજાર રૂપિયા થાય છે. SIPના કેલ્ક્યુલેટર મુજબ જો કોઈ રોકાણકાર દર મહિને 9 હજાર રુપિયાની SIP કરે છે. તો તેને 10 વર્ષમાં 15 ટકા વળતર પર લગભગ 25 લાખ 07 હજરા 915 રૂપિયા મળશે.

SIPનું ગણિત સમજીએ

જો તમે દર મહિને SIPમાં રૂપિયા 9000નું રોકાણ કરો છો, તો આ રકમ 5 વર્ષ પછી લગભગ રૂપિયા 8 લાખ થઈ જશે. જો રોકાણકાર ત્રણ વર્ષ સુધી આ રીતે વધુ પૈસા જમા કરવાનું ચાલુ રાખે તો 8 વર્ષ પછી જમા થયેલી મૂડી વધીને 16.73 લાખ રૂપિયા થઈ જશે અને 10માં રકમ 25 લાખ રૂપિયાથી વધુ થશે.

સેલેરી વધે તેમ રોકાણ વધારવુ

આ ગણતરીનો માત્ર શરૂઆતના પગારના આધારે અંદાજ લગાવવામાં આવ્યો છે. મોટાભાગના લોકોનો પગાર 7 થી 8 વર્ષમાં ડબલ થઈ જાય છે. જો પગારમાં વાર્ષિક 10 ટકાનો વધારો થાય છે, તો દર મહિને 30 હજાર રૂપિયા કમાતા વ્યક્તિનો પગાર 8 વર્ષમાં વધીને 60 હજાર રૂપિયાથી વધુ થઈ જશે. જો રોકાણકાર પગાર વધારા સાથે રોકાણની રકમમાં વધારો કરે છે, તો 10મા વર્ષમાં રોકાણકાર તેના પગારમાંથી દર મહિને 18 હજાર રૂપિયાની બચત કરવાનું શરૂ કરશે.

હવે તમે સમજી શકો છો કે દર મહિને તમારા પગારના 30 ટકા બચત કરીને તમે 10 વર્ષમાં કેટલી મોટી રકમ એકઠી કરી શકો છો. વ્યાજ હંમેશા રોકાણકાર માટે મૂળ રકમ કરતાં વધુ મૂલ્યવાન હોય છે, પરંતુ વ્યાજ મેળવવા માટે રોકાણ કરવુ જરુરી છે. નોકરી કરતા લોકોની આવક ધીમે ધીમે વધે છે. તેથી આજના સમયમાં SIP એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે તમે 10 વર્ષ માટે તમારા પગારના 30 ટકાનું રોકાણ કરો છો. તો 10 વર્ષ પછી તમારી પાસે ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા હશે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">