AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરાય છે જેથી અન્ય દેશો પર તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય. ઇથેનોલ અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ બંને આપણને શેરડીમાંથી મળે છે એટલે કે બંને શેરડીના પેટા ઉત્પાદનો છે.

આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:17 PM
Share

શરાબના શોખીનો માટે માઠાં સમાચાર છે. દેશમાં દારૂ મોંઘોaa થઈ શકે છે. શરાબના મુખ્ય ઘટક એવા આલ્કોહોલ કે જેમાંથી દારૂ બનાવવામાં આવે છે તેની હાલના સમયમાં માંગ ઘણી વધી ગઈ છે. આને કારણે, એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) ના ભાવમાં વધારો કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ભારતમાં વિદેશી બનાવટના શરાબના સૌથી મોટા ઉત્પાદક રાડિકો ખેતાને એક અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર 2022 સુધીમાં પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવાના તેના 10 ટકા લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેના કારણે શરાબના ભાવમાં વધારો થઇ શકે છે. આ કારણે વર્ષ 2020-21માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 325 કરોડ લિટર ઇથેનોલ સપ્લાય કરવામાં આવશે.

ઇંધણ સસ્તું થશે અને શરાબ મોંઘી થશે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરાય છે જેથી અન્ય દેશો પર તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય. ઇથેનોલ અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ બંને આપણને શેરડીમાંથી મળે છે એટલે કે બંને શેરડીના પેટા ઉત્પાદનો છે. તમે એક શેરડીમાંથી ખાંડ, ઇથેનોલ અને આલ્કોહોલ બનાવી શકો છો. જો કંપનીઓ વધુ ઇથેનોલ બનાવશે તો આલ્કોહોલનું ઉત્પાદન ઘટશે. જો ઉત્પાદન ઓછું થશે તો કંપનીઓને દારૂનો પુરવઠો ઓછો થઈ જશે. આનાથી કિંમતોમાં વધારો થશે તેમ મુખ્ય શરાબના ઉત્પાદક રેડીકો ખેતાને જણાવ્યું હતું.

સરકારની યોજના શું છે? સરકાર ગલ્ફ દેશોમાંથી તેલનો પુરવઠો ઘટાડવા માંગે છે. આ માટે ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે સરકારનો ટાર્ગેટ છે કે 8.5 ટકા બ્લેન્ડિંગ કરવું જોઈએ. ધીરે ધીરે સરકાર આગામી વર્ષ સુધીમાં ઇથેનોલના ગુણોત્તરને 10 ટકા સુધી લઈ જવા માંગે છે અને પછી ધીમે ધીમે આગામી વર્ષોમાં 15 થી 20 ટકા તરફ જવાશે. સરકાર 2025 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. 8.5% ના લક્ષ્યને હાંસલ કરવા માટે હાલમાં 325 કરોડ લિટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવશે જ્યારે 400 ટકા લિટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને 10 ટકાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે આપવામાં આવશે.

ENA શું છે? ENA એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ છે, જેમાંથી દારૂ બનાવવામાં આવે છે. ENA કાચો માલ છે. ENA નો ઉપયોગ વ્હિસ્કી, વોડકા, જિન, શેરડી અને અન્ય લિકર બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ આલ્કોહોલિક ફ્રૂટ બેવરેજીસ બનાવવા માટે પણ થાય છે. આ સિવાય અન્ય ઘણી પ્રોડક્ટમાં પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : Share Market : મજબૂત શરૂઆત બાદ નફાવસૂલીથી શેરબજાર લાલ નિશાન નીચે સરક્યું , SENSEX 58103 સુધી સરક્યો

આ પણ વાંચો : તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">