AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meeting : મોંઘવારી ઘટી તો શું હવે EMI પણ ઘટશે? આજથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં RBI લેશે નિર્ણય

RBI MPC Meeting :હાલમાં સામાન્ય માણસ મોંઘી લોન અને વધતી EMIથી પરેશાન છે. ઋણધારકોને આશા છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે જેથી લોન પરના વ્યાજદરમાં થોડો ઘટાડો રાહત આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે 6 જૂનથી શરૂ થઈ રહી છે.

RBI MPC Meeting : મોંઘવારી ઘટી તો શું હવે EMI પણ ઘટશે? આજથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં RBI લેશે નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:12 AM
Share

RBI MPC Meeting :હાલમાં સામાન્ય માણસ મોંઘી લોન અને વધતી EMIથી પરેશાન છે. ઋણધારકોને આશા છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે જેથી લોન પરના વ્યાજદરમાં થોડો ઘટાડો રાહત આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI MPC Meeting)ની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે 6 જૂનથી શરૂ થઈ રહી છે. આ બેઠક 8 જૂન સુધી ચાલશે. 8મી જૂને RBI ગવર્નર રેપો રેટની જાહેરાત કરશે. શેરબજારમાં નાણાં રોકનારાઓ પણ આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. RBI આ વખતે પણ MPCની બેઠકમાં વ્યાજ દરો યથાવત રાખી શકે છે. આ એટલા માટે છે કારણ કે કેટલાક સમયથી ફુગાવાનો દર નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.

RBI શું નિર્ણય લેશે?

એક પોલ અનુસાર 6 સભ્યોની રેટ સેટિંગ પેનલ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખી શકે છે. પહેલી બેઠકમાં પણ MPCએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

અગાઉ વ્યાજ દરમાં 2.5%નો વધારો કરાયો હતો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આનાથી ભારતમાં પણ મોંઘવારી દરમાં વધારો થયો છે. જ્યારે ફુગાવો વધ્યો ત્યારે આરબીઆઈએ મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો. RBI મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટમાં વધારો કરે છે. આ પછી એપ્રિલની બેઠકમાં આરબીઆઈએ મુખ્ય વ્યાજ દરો યથાવત રાખ્યા હતા.

ફુગાવો 4.7% પર આવ્યો

તાજેતરના ડેટા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (રિટેલ ફુગાવો) પર આધારિત ફુગાવો એપ્રિલમાં ઘટીને 8 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તે 4.7 ટકા નોંધાયો હતો, જે આરબીઆઈના સહનશીલ સ્તરની અંદર છે. રિટેલ ફુગાવા માટે આરબીઆઈનો લક્ષ્યાંક 4 ટકા છે. તે જ સમયે, સહનશીલ સ્તર 2 થી 6 ટકા છે.

શું  રાહત મળશે ?

ડીબીએસ બેંક ઈન્ડિયાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે, “મજબૂત જીડીપી ડેટા પણ આરબીઆઈને રેપો રેટ યથાવત રાખવા માટે પ્રેરિત કરશે.” જો રેપો રેટ યથાવત રહેશે, તો લોનના વર્તમાન દરોમાંથી કોઈ રાહત નહીં મળે પરંતુ તેમાં કોઈ વધારો પણ નહીં થાય. તે જ સમયે, આગામી સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">