RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે તેના દ્વિ-માસિક નાણાકીય નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં બુધવારથી શરૂ થયેલી નાણાં નીતિ સમિતિ(RBI Monetary Policy) ની ત્રણ દિવસીય બેઠકમાં નિર્ણયમાં વ્યાજદરમાં કોઈ બદલાવ કરાયો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેઠકના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે રેપોરેટ 4% અને રિવર્સ રેપોરેટ 3.35% યથાવત રખાયો છે. અગાઉથીજ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થવના સંકેત હતા. ઉલ્લેખનીય કે નાણાંકીય નીતિ સમિતિ(MPC) દર બે મહિને નીતિના વ્યાજદર નક્કી કરવા માટે બેઠક કરે છે.
Reserve Bank of India keeps repo rate unchanged at 4%, maintains accommodative stance pic.twitter.com/fAhHBio4OR
— ANI (@ANI) August 6, 2021
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય નીતિની જાહેરાત કરી છે. ગવર્નર દાસ નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠકમાં શું નિર્ણય લેવાયો છે તેની માહિતી આપી છે. ફરી એકવાર રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખવામાં આવ્યો છે. દાસે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાંથી અર્થતંત્ર સુધરી રહ્યું છે. પુરવઠા અને માંગનું સંતુલન બગડ્યું છે, જેને ધીમે ધીમે સુધારવામાં આવી રહ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે જૂન કરતાં જુલાઈમાં આર્થિક સુધારો સારો હતો. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.
આર્થિક સુધારાઓ અંગે એવું કહેવામાં આવ્યું હતું કે તે નાણાકીય નીતિ સમિતિ અનુસાર રહ્યું છે. થોડો સમય સિવાય ચોમાસુ સારું રહ્યું છે. ફુગાવા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં છૂટક ફુગાવો 6 ટકાના ઉપલા સ્તરને પાર કરી ગયો હતો, જોકે ભાવની ગતિ મધ્યમ હતી. માંગ પણ ધીરે ધીરે સુધરી રહી છે પરંતુ આને લગતી પરિસ્થિતિમાં બહુ સુધારો દેખાઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં અમારો શ્રેષ્ઠ પ્રયાસ ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો છે.
Published On - 10:16 am, Fri, 6 August 21