AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના 1300 રેલવે સ્ટેશનની સૂરત બદલવાની શરૂઆત સાથે Railway ના શેર Bullet Train ની ગતિએ દોડ્યા, 12.5% સુધી વધ્યા શેર Railway Stocks

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની ભારત સરકારે(Governent of India) અમૃત ભારત સ્ટેશન યોજના( Amrit Bharat Station Scheme) હેઠળ Gujarat  સહીત સમગ્ર દેશમાં 1300 મોટા રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ(Redevelopment of Railway Station) કરવાની યોજના બનાવી છે.

દેશના 1300 રેલવે સ્ટેશનની સૂરત બદલવાની શરૂઆત સાથે Railway ના શેર Bullet Train ની ગતિએ દોડ્યા, 12.5% સુધી વધ્યા શેર Railway Stocks
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:30 AM
Share

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની ભારત સરકારે(Governent of India) અમૃત ભારત સ્ટેશન યોજના( Amrit Bharat Station Scheme) હેઠળ Gujarat  સહીત સમગ્ર દેશમાં 1300 મોટા રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ(Redevelopment of Railway Station) કરવાની યોજના બનાવી છે.

6 ઓગસ્ટ 2023ના રોજ508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની શરૂઆત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કર્યા બાદ શરૂ કરી હતી જેનો ખર્ચ અંદાજિત 3 બિલિયન ડોલર મુજબ રૂ. 24,470 કરોડ થવાનો છે.

પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સહીત 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 508 સ્ટેશનોને બે વર્ષમાં સંપૂર્ણ રીતે નવીકરણ કરવામાં આવશે. પુનઃવિકાસ આધુનિક પેસેન્જર સુવિધાઓ સાથે સુનિશ્ચિત કરશે. આગામી વર્ષોમાં સરકાર દરેક રેલ્વે સ્ટેશન પરથી ગ્રીન એનર્જી જનરેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટના અમલીકરણ શરૂ થયા બાદ રેલવેના લિસ્ટેડ પાંચ  શેર 12.5% સુધી વધ્યા(5 Railway stocks jump up to 12.5%) છે.

Rail Vikas Nigam Ltd

રેલ વિકાસ નિગમ લિ.નો શેર સોમવારે 2.6 ટકા વધીને રૂ. 125.15 પર બંધ થયો જેનું બજાર મૂલ્ય રૂ. 26,094 કરોડ હતું.રેલ વિકાસ નિગમ લિમિટેડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, ફાઇનાન્સિંગ અને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણના વ્યવસાયમાં છે.

Railtel Corporation of India Ltd

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર સોમવારે 4.3 ટકા વધ્યા હતા અને રૂ. 5,552 કરોડના બજાર મૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 2.52 ટકા વધીને રૂ. 173 પર બંધ થયા હતા.

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ દેશના અગ્રણી તટસ્થ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓમાંની એક છે, કંપની રેલ્વે સ્ટેશનો પર ટેલિકોમ ઓપરેટરોના સાધનો માટે સહ-સ્થળની સુવિધા આપે છે તેમજ બ્રોડબેન્ડ અને VPN સેવાઓ પ્રદાન કરે છે.

Ircon International Ltd

ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડના શેર સોમવારે 8 ટકા વધીને રૂ. 9,574 કરોડના બજાર મૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 6.21 ટકા વધીને રૂ. 101.80 પર બંધ થયા હતા.

કંપની રેલ્વે (નવી રેલ્વે લાઇન, પુનર્વસન, સ્ટેશન ઇમારતો અને સુવિધાઓ, પુલ, ટનલ, સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન), મોટરવે અને EHV સબસ્ટેશનમાં નિષ્ણાત છે.

Indian Railway Finance Corporation Ltd

ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન લિ.ના શેર સોમવારે 12.5 ટકા વધીને રૂ. 49.75 પર બંધ થયા હતા, જે અગાઉના બંધ ભાવ કરતાં 10.43 ટકા વધીને રૂ. 65,015 કરોડના બજારમૂલ્ય સાથે રૂ.

ભારતીય રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન વિવિધ નાણાકીય બજારો દ્વારા ભારતીય રેલ્વેની વિકાસલક્ષી જરૂરિયાતોને પહોંચી વળવા ભંડોળ એકત્ર કરવામાં રોકાયેલ છે.

Texmaco Rail and Engineering Ltd

Texmaco Rail and Engineering Ltdનો શેર સોમવારે 7 ટકા વધીને રૂ. 3,469 કરોડના બજારમૂલ્ય સાથે અગાઉના બંધ ભાવ કરતાં 6.42 ટકા વધી રૂ. 107.80 પર બંધ થયો હતો.Texmaco Rail & Engineering Ltd રોલિંગ સ્ટોક, હાઇડ્રો-મિકેનિકલ સાધનો, સ્ટીલ કાસ્ટિંગ અને રેલ EPC, પુલ અને અન્ય સ્ટીલ સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">