AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, આ રીતે રૂપિયા 1 લાખના થયા 85 લાખ

આજે અમે એવી જ એક NBFC વિશે વાત કરવાના છીએ જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 300 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે 20 વર્ષમાં કંપનીએ રોકાણકારોને 8500 ટકા વળતર આપ્યું છે.

આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, આ રીતે રૂપિયા 1 લાખના થયા 85 લાખ
Poonawala Fincorp
| Updated on: Feb 22, 2024 | 9:29 PM
Share

ફિનટેક અને NBFC કંપનીઓ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. જેના કારણે ઘણી NBFC કંપનીઓના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમે એવી જ એક NBFC વિશે વાત કરવાના છીએ જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 300 ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે 20 વર્ષમાં કંપનીએ રોકાણકારોને 8500 ટકા વળતર આપ્યું છે.

આ NBFC બીજી કોઈ નહીં પણ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે પૂનાવાલા ફિનકોર્પના શેરોએ 1 વર્ષથી 20 વર્ષના સમયગાળા દરમિયાન રોકાણકારોને કેવી રીતે સમૃદ્ધ બનાવ્યા છે. તેના એમડી અજય ભુતડાના નેતૃત્વ હેઠળ કંપની સતત નવા રેકોર્ડ સર્જી રહી છે.

પાંચ વર્ષમાં જંગી વળતર આપ્યું

પૂનાવાલા ફિનકોર્પના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને સમૃદ્ધ બનાવવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા 6 મહિનામાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેરમાં લગભગ 7 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 20 વર્ષમાં કંપનીના શેરોએ રોકાણકારોને લગભગ 8500 ટકા વળતર આપ્યું છે.

આ રીતે રોકાણકારો કરોડપતિ બન્યા

જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત રૂ. 4,16,704 થઈ હોત. એક વર્ષમાં કંપનીએ રોકાણકારોને 55 ટકાથી વધુ વળતર આપ્યું છે, એક વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયા 1,55,158 થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ કંપનીમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત હાલમાં રૂ.1,06,691 હોત.

જો કોઈ રોકાણકારે વર્ષની શરૂઆતમાં આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત હાલમાં રૂ.1,05,936 હોત. જો છેલ્લા 20 વર્ષના વળતરની વાત કરીએ તો, જો કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત હાલમાં 85,92,592 રૂપિયા થઈ હોત.

આ રીતે હજારો કરોડ રૂપિયાની કંપની બની

પૂનાવાલા ફિનકોર્પ આજના યુગમાં ફિનટેક કંપનીઓમાં એક મોટું નામ બની ગયું છે. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂ.35,800 કરોડની નજીક પહોંચી ગયું છે. CRISIL અને CARE રેટિંગ્સ જેવી એજન્સીઓએ આ કંપનીને AAA રેટિંગ આપ્યું છે. હાલમાં શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો ગુરુવારે કંપનીનો શેર NSE પર એક ટકાથી વધુના વધારા સાથે રૂ. 464 પર બંધ થયો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 519.70 રૂપિયા છે. જે આ વર્ષે 19 જાન્યુઆરીએ જોવા મળી હતી.

Follow Us
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
g clip-path="url(#clip0_868_265)">